ગઈ કાલે સમાચાર જાણ્યા કે મુકુંદભાઈ સુરાનીનું અવસાન થયું. ખબર છે કે એમની અટકનો મૂળ ઉચ્ચાર 'સુરાણી' થાય, પણ અમારે ત્યાં તેઓ ઓળખાતા 'સુરાનીભાઈ' તરીકે. 'અમારે ત્યાં' એટલે કે 'આઈ.પી.સી.એલ.' (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પો.લિ.) માં, જે હવે 'રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.' તરીકે ઓળખાય છે. 1984માં ત્યાં હું તાલીમાર્થી તરીકે જોડાયો અને 1985માં નોકરી પાકી થઈ ત્યારથી લઈને છેક 2007માં મેં નોકરી છોડી એ દરમિયાન સુરાનીભાઈ સાથે કામ કરવા મળ્યું.
Sunday, August 2, 2026
આલ્કિલેશન કેન નોટ કોન્ટેક્ટ, સુરાનીભાઈ, આલ્કિલેશ.....અ.....ન!
Saturday, June 20, 2026
કળાને સમર્પિત કળાશિક્ષક, કળાકારની વિદાય
શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાના અવસાનના થોડા દિવસ અગાઉ મિત્ર તેજસ વૈદ્ય અને બિનીત મોદી દ્વારા સમાચાર મળ્યા. રતિલાલ સાથેનો સંબંધ વિશિષ્ટ પ્રકારનો રહ્યો.
Monday, June 8, 2026
'મૅડ'નો પાગલ
"આ મેગેઝીન જોવા જેવું છે. શાંતિથી બેસીને જો. ત્યાં સુધી હું મારું કામ પતાવું."
Sunday, March 15, 2026
ગુરુને યાદ કરતાં છબીમાંથી દીનાનાથ બોલે છે: 'ભલે.'
આજના દિવસે, એટલે કે 15 માર્ચ, 2025ની રાત્રે રજનીકુમારે સદેહે વિદાય લીધેલી. તેમનું સ્થાન જીવનમાં એ હદે ગોઠવાઈ ગયેલું કે તેઓ હોય કે ન હોય, પણ અનેક વખતે સકારણ-અકારણ કશું ને કશું યાદ આવતું રહે. અમે સાથે કરેલાં અનેક કામો અને એ દરમિયાન થતી વિવિધ વાતચીત, રમૂજ, પેરડીઓ, મીમીક્રી, અને એ બધાની વચ્ચે સાવ અનાયાસ નીકળી આવતી જીવનના ચિરંતન સત્ય જેવી અનેક વાતો.
'આત્મવંચના' એટલે કે જાતને છેતરવાનું લક્ષણ તેમનો પ્રિય વિષય. તેઓ કહેતા કે આ ગુણ ઓછેવત્તે અંશે દરેકમાં હોય છે. અને માપમાં હોય તો ક્યારેક તે ઊપયોગી પણ થઈ પડે. 'દરેક'માંથી તે પોતાની જાતને પણ બાકાત ન રાખતા. અનેક જોક્સ એવા હોય કે આપણે એની મજા એક જોક તરીકે લેતા હોઈએ, પણ રજનીભાઈ એમાંથી નીતરતું ચિરંતન સત્ય તારવી આપે એટલે આપણે એ જ જોકને જુદા પ્રકાશમાં જોતા થઈ જઈએ. તેઓ કહેતા કે ઘણા બધા ટુચકા સમયાંતરે, પાઠાંતરે કહેવાતા રહે છે તેનું કારણ એ જ કે એમાંથી જીવનનું ચિરંતન સત્ય નીતરતું રહે છે.
તેમની 'બિલોરી' સિરીઝનાં પુસ્તકો અમારા અતિ પ્રિય. એનાં શિર્ષકો અને પાત્રોની વાત થતી રહે, પણ ક્યારેક રજનીભાઈ એ પોતાને કયા પાત્ર પરથી સૂઝ્યું એની વાત કરતા. એ પૈકીના 'મન બિલોરી'માં પહેલી જ એક વાર્તા છે 'ભલે, ભલે, ભલે.' એ વાર્તામાં એક વાક્ય ધ્રુવવાક્યની જેમ પુનરાવર્તિત થાય છે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' એમાં મુખ્ય પાત્ર કૃપાશંકરનું છે, જે ઘણી વાર અમુક લોકોનાં કામ કરી આપે એ પછી સામેની વ્યક્તિ કૃપાશંકરનો આભાર માનવા આવે. કૃપાશંકર એ વ્યક્તિ સમક્ષ વિનમ્રતા દાખવતાં કહે, 'હું તો એક પામર મનુષ્ય છું. હજુ પણ હું આપના માટે કંઈ કરી શકું તો આનંદ થશે.' એ વ્યક્તિની વિદાય પછી કૃપાશંકર દીવાલે ટાંગેલી ઈશ્વરની છબી સમક્ષ જાય અને બન્ને હાથ જોડીને બોલે, 'હે પ્રભુ, કોઈની પ્રશંસા જીરવવાની મને શક્તિ દેજે કે હું એનાથી છકી ન જાઉં. કોઈ પ્રશંસા કરે ત્યારે હાથની રુંવાટી પર કીડી ફરતી હોય એમ લાગે છે.' એ પછી અંતે વાક્ય આવે: 'છબીમાંથી દીનાનાથ બોલ્યા, 'ભલે.' આવી બે-ત્રણ પરિસ્થિતિઓ આવે છે. અંત ભાગમાં એક છોકરો આવીને કૃપાશંકરને કહે છે, 'મને નોકરી તમારી લાગવગને કારણે નથી મળી. મારા નસીબમાં ઈશ્વરે તમારી લાગવગ લગાડવાનું લખ્યું હશે. બાકી તમે કરનાર કોણ?' બસ, આ 'તમે કોણ' સાંભળીને કૃપાશંકરની ડાગળી ચસકે અને ત્રાડ પાડીને બોલી ઉઠે, 'હું ઈશ્વરનો બાપ. હવે કહેવું છે કંઈ?'
આ ઘટના પછી કૃપાશંકર ભગવાનના ગોખ તરફ વળીને ઈશ્વરની છબિ સમક્ષ ઊભા રહે અને બોલે, 'ધ્યાનાવસ્થા દરમિયાન રુંવાટીમાં કીડી સળવળતી હોય એ તો હજુય સહન થશે. બાકી કાળી કીડી આમ આ રીતે તીખો ચટકો ભરશે એ તો સહન નહીં જ થાય હોં! હું માણસ છુંં, તારી જેમ ભગવાન નથી.' ત્યારે પણ છબી માંયલા ભગવાન બોલ્યા, 'ભલે.'
માનવમનના અંત:તલને તાગતી આ વાર્તા અમારી અતિ પ્રિય વાર્તા. એક વાર વાતવાતમાં પૂછ્યું, 'આ કૃપાશંકરનું પાત્ર કોઈ વાસ્ત્તવિક પાત્ર પરથી પ્રેરિત છે કે કાલ્પનિક?' રજનીભાઈએ હસીને કહ્યું, 'એ હું પોતે.' એ વાર્તા પછી ઘણી વાર જાતને કૃપાશંકરના પાત્રમાં જોઈ છે અને ત્યારેય છબીમાંથી દીનાનાથ બોલે છે, 'ભલે.' આવી લાગણી અનુભવાતી હોય, પણ તેને આ રીતે શબ્દોમાં મૂકી આપવી કે જે વ્યક્તિલક્ષી ન રહેતાં લક્ષણકેન્દ્રી બની રહે એ લેખિની ઓછા પાસે હોય છે. રજનીભાઈ એ પૈકીના એક હતા. હોત અને આ વાંચત તો કહેત, 'ભાઈ, પેલી કીડી સળવળે એવું લખ્યું છે. પણ જોજે, કીડી ચટકો ન ભરે એ જોજે.' અને હું કહેત, 'તમે સાપના ડંખ એટલા બધા ખાધા છે કે કીડીના ચટકાની તમને કશી અસર ન થાય!' અને એ સાંભળીને તેઓ સાપના પ્રકાર ગણાવત કદાચ.
Saturday, February 14, 2026
મૃદુભાષી, મિતભાષી, છતાં મક્કમ વ્યક્તિત્વની વિદાય
| પ્રમેશબહેન મહેતા |
| મારી ભરુચની એક મુલાકાત દરમિયાન 'કોર ગૃપ' સાથેની બેઠકમાં પ્રમેશબહેન (જમણેથી પહેલાં) |
જો કે, એમિટી સ્કૂલ વિશેનું પુસ્તક 'કેળવણીનો કર્મયોગ'નું આલેખન કરવાનું શરૂ થયું ત્યારે સાવ આરંભિક મુલાકાતોમાંની એક તેમની હતી. એ વખતે મને તેમના વિશે વધુ જાણ થઈ. તેઓ પોતે પોતાના વિશે ખાસ બોલવા ઈચ્છે નહીં, પણ રણછોડભાઈએ તેમને કહ્યું, 'પ્રમેશબહેન, તમારે તમારી વાત કહેવી પડશે. નહીંતર એ લખશે શી રીતે?' પ્રમેશબહેને વાત કરી, પણ જાણે કે પોતાના વિશે વાત કરતાં સંકોચ થતો હોય એ સ્પષ્ટપણે દેખાય.
Sunday, November 30, 2025
'જે પરમાત્મા! એમ જોયા ની કર.'
- બીરેન કોઠારી
Friday, June 6, 2025
યમરાજા વિશે તમે શું જાણો છો?
- બીરેન કોઠારી
Thursday, January 9, 2025
પરોક્ષપણે રસરુચિનું ઘડતર કરનાર પ્રીતિશને અલવિદા
| ઉન્નીએ ચીતરેલું પ્રીતિશનું કેરિકેચર |
Saturday, July 27, 2024
કુલીનકાકા: કેન્દ્રમાંથી હવે પરિઘમાં
નિવૃત્ત સનદી અધિકારી, વિદ્યાવ્યાસંગી, ઉ.ગુ.યુનિ.ના સ્થાપક-કુલપતિ, 'વહીવટની વાતો'ના લેખક અને અસંખ્ય સુભાષિતોનો પ્રાસાદિક ગુજરાતીમાં અનુવાદ કરનાર વિદ્યાપુરુષ કુલીનચંદ્ર યાજ્ઞિકનું આજે સવારે છના સુમારે ૯૭ વર્ષની વયે અવસાન થયું.
Monday, April 8, 2024
'સાગર'ની છેલ્લી બુંદ પણ વિલીન
આજે વડીલમિત્ર ચંદ્રશેખર વૈદ્ય તરફથી સમાચાર મળ્યા કે અમર દેસાઈનું અવસાન થયું. અમર દેસાઈ એટલે 'સાગર મુવીટોન'ના માલિક ચીમનલાલ દેસાઈના પૌત્ર અને ચીમનલાલના દીકરા સુરેન્દ્ર દેસાઈ ઉર્ફે બુલબુલભાઈના પુત્ર. આમ છતાં, અમર દેસાઈને 'સાગર' સાથે સીધેસીધી નહીં, પરોક્ષ લેવાદેવા હતી. 'સાગર મુવીટોન'નું વિલીનીકરણ 'નેશનલ સ્ટુડિયોઝ'માં થયું એ પછી થોડા જ સમયમાં ચીમનલાલ તેનાથી અલગ થઈ ગયા. તેમણે પોતાની આગવી ફિલ્મકંપનીનો આરંભ કર્યો અને તેનું નામ પોતાના પૌત્ર અમરના નામે 'અમર પિક્ચર્સ' રાખ્યું. મારા 'સાગર મુવીટોન' પુસ્તકમાં આ આખું પ્રકરણ 'અંત પહેલાંનો વધુ એક આરંભ'ના નામે વિગતે આલેખાયું છે. 'અમર પિક્ચર્સ' દ્વારા 1942થી 1946ના અરસામાં બધું મળીને છ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું, જેનાં નામ આ મુજબ છે: આંખમિચૌલી (1942), ખિલૌના (1942), આદાબ અર્ઝ (1943), પૈગામ (1943), રત્નાવલી (1945) અને ગ્વાલન (1946). 'ખિલૌના'ની કથા વજુ કોટકે લખી હતી, જેમણે પછી એ જ વાર્તા પરથી 'રમકડાં વહુ' નામે નવલકથા લખી. 'રત્નાવલી' એક 'પિરીયડ ફિલ્મ' હતી, જેને 'ફિલ્મ ઈન્ડિયા'ના તંત્રી બાબુરાવ પટેલે 'સમય અને નાણાંનો બગાડ' ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાબુરાવ પટેલ ચીમનલાલના ખાસ મિત્ર હતા અને 'અમર પિક્ચર્સ'ની 'ગ્વાલન'નું દિગ્દર્શન તેમણે કરેલું. એ ફિલ્મમાં બાબુરાવનાં પત્ની સુશીલારાણી પટેલની મુખ્ય ભૂમિકા હતી. અમરભાઈના મોટાભાઈ સુકેતુ દેસાઈ અને ચંદ્રશેખર વૈદ્ય સાથે અમે સુશીલારાણી પટેલને મળવા તેમના 'ગિરનાર' બંગલે ગયાં ત્યારે તેઓ રીતસર આજીજીપૂર્વક 'ગ્વાલન'ની એકાદી રીલ સુદ્ધાં મળી જાય તો અમને વ્યવસ્થા કરવા કહેતાં હતાં.


