![]() |
(image courtsey: India Today)
|
ગીતસંગીતના પ્રેમીઓ અને જાણકારો માટે આ નામ અજાણ્યું નથી. ગીતસંગીતની મર્યાદિત જાણકારી ધરાવતા લોકોને કદાચ આ નામ અજાણ્યું લાગે, પણ આવા લોકો માટે દાનસીંગે સંગીતબદ્ધ કરેલું એક ગીત જ યાદ કરાવવું કાફી છે. એ ગીત એટલે મુકેશે ગાયેલું અને આનંદ બક્ષીએ લખેલું ‘વો તેરે પ્યાર કા ગમ, ઈક બહાના થા સનમ’. (ફિલ્મ ‘માય લવ’)
(જુઓ મુકેશ વિષે દાનસીંગ:
![]() |
પત્ની ડો. ઉમા યાજ્ઞિક સાથે દાનસીંગ
(image courtsey: India Today) |
નસીબ અજમાવવા માટે દાનસીંગ મુંબઈ આવ્યા. મુંબઈ આવીને બેએક વરસ તેમણે સંઘર્ષ કરવો પડ્યો. પોતે ધુરંધર સંગીતકાર ખેમચંદ પ્રકાશ (‘મહલ’ ફેઈમ)ના શિષ્ય હતા. આ કારણે ફિલ્મોમાં કામ મળી રહેશે એવો તેમને વિશ્વાસ હતો. પણ તેમને ક્યાં ખબર હતી કે ફિલ્મ લાઈનમાં પ્રતિભા ઊપરાંત બીજી પણ અનેક આવડતો જરૂરી છે. જો કે, આ જ્ઞાન લાધવામાં બહુ વાર ન લાગી.
![]() |
(ફિલ્મ: બવંડર)
|
<object classid="clsid:d27cdb6e-ae6d-11cf-96b8-444553540000" codebase="http://fpdownload.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=8,0,0,0" width="335" height="28" id="divplaylist"><param name="movie" value="http://www.divshare.com/flash/playlist?myId=15395670-ba9" /><embed src="http://www.divshare.com/flash/playlist?myId=15395670-ba9" width="335" height="28" name="divplaylist" type="application/x-shockwave-flash" pluginspage="http://www.macromedia.com/go/getflashplayer%22%3E%3C/embed%3E%3C/object%3E
અન્ય ત્રણ ગીતોની લીન્ક અલગથી મૂકી છે.)
મુંબઈથી આવ્યા પછી થોડો સમય શેખાવતીમાં તે રહ્યા. અહીં રહીને તેમણે રામાયણ, ગીતા તેમજ ભગવાન અય્યપ્પાની પ્રાર્થનાઓ હિંદીમાં સંગીતબદ્ધ કરી. જો કે, તેની યોગ્ય કિંમત ન મળી એટલે એ કામ પણ પડતું મૂક્યું. ત્યાર પછી તે પત્ની ડૉ. ઉમા યાજ્ઞિક સાથે જયપુરમાં જ સ્થાયી થયા અને પોતાની રીતે જીવન ગુજારવા લાગ્યા.
૧૯૯૫માં તેમના વિષે એક લેખ પ્રસિદ્ધ થયો ત્યારે આ પ્રતિભાશાળી સંગીતકાર જયપુરમાં રહેતા હોવાની નવેસરથી જાણ થઈ. ફરી એક વાર તેમને ફિલ્મની ઑફર આવી. તેમણે એ સ્વીકારી પણ ખરી. પણ અફસોસ! એ બન્ને ફિલ્મો ‘ખિલતે ફૂલ’ અને ‘મહેફિલ’ રિલીઝ ન થઈ શકી. ત્યાર પછી રાજસ્થાનની ભંવરી દેવીની ઘટના પરથી બનેલી જગમોહન મુંદડાની ફિલ્મ ‘બવંડર’નાં ગીતો તેમણે સંગીતબદ્ધ કર્યાં. આ ફિલ્મમાં પાર્શ્વસંગીત હતું પંડીત વિશ્વમોહન ભટ્ટનું.
પોતાના ગુરુ ખેમચંદ પ્રકાશે ‘મહલ’નું અમર ગીત ‘આયેગા આનેવાલા’ રચ્યું ત્યારે જ એ ધૂનમાં રહેલી તાકાતનો અંદાજ ખેમચંદજીને આવી ગયો હશે. એટલે તેમણે આવા જ ત્રણ શબ્દો ‘જાયેગા જાનેવાલા’ પરથી બીજું ગીત બનાવવાનો પડકાર ઊપાડેલો. જો કે, એ શક્ય ન થઈ શક્યું અને ખેમચંદ પ્રકાશનું દુ:ખદ અવસાન થયું. પણ આ પડકાર તેમના શિષ્ય દાનસીંગે ઊપાડી લીધો. તેમણે આ શબ્દો વિસ્તારીને ગીત તૈયાર કર્યું અને તેની ધૂન પણ બનાવી, જેના શબ્દો હતા, “ આનેકી શહાદત હૈ જાના, જાનેકી શહાદત હૈ આના, યહ રોજ કા આનાજાના હૈ, જાયેગા જાનેવાલા, આયેગા આનેવાલા.’ પણ અફસોસ! એ ગીત આપણા સુધી પહોંચી ન શક્યું. દાનસીંગને એ વાતનો અફસોસ રહી ગયેલો કે પોતે લતા મંગેશકરને પોતાના સંગીત નિર્દેશનમાં ગવડાવી ન શક્યા.
એક પ્રતિભાશાળી સંગીતકાર તરીકે દાનસીંગ હંમેશાં યાદ રહેશે. ઝાઝી ફિલ્મોમાં એ સંગીત આપી ન શક્યા એને કોની કમનસીબી ગણવી? એમની કે સંગીતપ્રેમીઓની?
(માહિતી સ્રોત: હરીશ રઘુવંશી, સુરત)
દાનસીંગનાં લોકપ્રિય ગીતો:
- વો તેરે પ્યાર કા ગામ (ફિલ્મ: માય લવ)
- જીક્ર હોતા હૈ જબ કયામત કા (ફિલ્મ: માય લવ)
-યે તુમ્હારે રાસ્તેમે (ફિલ્મ: માય લવ)
- ગમે દિલ કિસસે કહું (ફિલ્મ: ભૂલ ના જાના)
- પુકારો મુઝે નામ લેકર પુકારો (ફિલ્મ: ભૂલ ના જાના)
-ગોરા ગોરા મુખડા યે તૂને (ફિલ્મ: ભૂલ ના જાના)
-મેરે હમનશી મેરે હમનવા (ફિલ્મ: ભૂલ ના જાના)


