Showing posts with label Shrilal Shukla. Show all posts
Showing posts with label Shrilal Shukla. Show all posts

Saturday, October 29, 2011

'રાગ દરબારી'ના સર્જકની ચિરવિદાય

                                                                        
  
શ્રીલાલ શુક્લ
(૩૧-૧૨-૧૯૨૫ થી ૨૮-૧૦-૨૦૧૧)

આગલી પોસ્ટમાં જણાવ્યા મુજબ આ વખતે મૂળ તો ડેલહાઉસી અને તેની આસપાસના વિસ્તારોની તસવીરી ઝલક આપવાનો ઉપક્રમ હતો, પણ એ કાર્યક્રમ પાછો ઠેલવો પડે એવા સંજોગો ઉભા થયા.
હજી તો માંડ મહિના-સવા મહિના પહેલાં પ્રિય લેખક અને રાગ દરબારીના સર્જક શ્રીલાલ શુક્લને જ્ઞાનપીઠ સન્માન મળ્યા નિમિત્તે પોસ્ટ લખીને તેમની સાથેની મારી અને ઉર્વીશની મુલાકાતની વાત જણાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. જીવનનું યાદગાર બની ગયેલું એ સંભારણું તાજું કર્યું હતું. 
રાગ દરબારીનું રંગનાથ કી વાપસી ના નામે થયેલું મંચન
ત્યારે અંદાજ સુદ્ધાં નહોતો કે આટલી ઝડપથી તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ લખવાની થશે. ૮૬ વર્ષની ઉંમરે તેમના થયેલા અવસાનના સમાચાર જાણીને થોડો વિષાદ એ રીતે પણ થાય કે- શું જ્ઞાનપીઠ સન્માન કે શું ફાળકે એવોર્ડ- સર્જકને સર્વોચ્ચ સન્માન ત્યારે જ મળે જ્યારે એ મરણોન્મુખ હોય? જ્યારે એ આ બધાથી પર થઈ ગયો હોય?
ખેર! અમારી એ મુલાકાતની વિગતે વાતો ઉર્વીશે એના બ્લોગ પર મૂકી છે. (એ વાંચવા માટે અહીં ક્લીક કરો: http://urvishkothari-gujarati.blogspot.com/2011_10_01_archive.html ) 
 શુક્લજીની અન્ય મનગમતી કૃતિઓ વિષેની વાત પણ ફરી ક્યારેક કરીશું, પણ આજે શ્રીલાલ શુક્લને શ્રદ્ધાંજલિરૂપે રાગ દરબારી જેવી અમર બની ગયેલી અને અંગત રીતે અત્યંત માનીતી એવી કૃતિમાંથી અહીં મૂકવા જોગ અમુક અંશની પસંદગી કરવામાંય મીઠી મૂંઝવણ તો છે જ કે કયા લખાણની પસંદગી કરવી? છતાંય રાગ દરબારીના વ્યંગનો અંદાજ આવી શકે એવા કેટલાક અંશ, જે વાંચતાં યાદ એટલું જ રાખવાનું કે શુક્લજીએ આ દર્શન છેક ૧૯૬૮માં કરેલું હતું.
(રાગ દરબારી શિવપાલગંજ નામના ગામડાની પશ્ચાદભૂમાં આલેખાયેલી છે. પૂર્વાપર સંદર્ભ વિના પણ માણી શકાય એ રીતે કેટલાક અંશ અહીં મૂક્યા છે.)
  •   वहाँ पर एक चबूतरा बनवा दिया गया था, जिसे गाँधी-चबूतरा कहते थे। गाँधी, जैसा कि कुछ लोगों को आज भी याद होगा, भारतवर्षमें ही पैदा हुए थे और उनके अस्थि-कलश के साथ ही उनके सिद्धान्तों को संगम में बहा देने के बाद यह तय किया गया था कि गाँधी की याद में अब सिर्फ पक्की इमारतें बनायी जायेगी और उसी हल्ले में शिवपालगंज में यह चबूतरा बन गया था। चबूतरा जाडों में धूप खाने के लिए बडा उपयोगी था और ज्यादातर उस पर कुत्ते धूप खाया करते थे; और चूँकि उनके लिए कोई बाथरूम नहीं बनवाया जाता है इसलिए वे धूप खाते-खाते उसके कोने पर पेशाब भी कर देते थे और उनकी देखादेखी कभी-कभी आदमी भी चबूतरे की आड में वही काम करने लगते थे। 
  • उन दिनों गाँव में लेक्चर का मुख्य विषय खेती था। इसका यह अर्थ कदापि नहीं था कि पहले कुछ और था। वास्तव में पिछले कई सालों से गांववालों को फुसलाकर बताया जा रहा था कि भारतवर्ष एक खेतिहर देश है। गाँववाले इस बात का विरोध नहीं करते थे, पर प्रत्येक वकता शुरू से ही यह मानकर चलता था कि गाँववाले इस बात का विरोध करेंगे। इसीलिए वे एक के बाद दूसरा तर्क ढूँढकर लाते थे और यह साबित करने में लगे रहते थे कि भारतवर्ष एक खेतिहर देश है। ईसके बाद वे यह बताते थे कि खेती की उन्नति ही देश की उन्नति है। फिर आगे की बात बताने के पहले ही प्राय: दोपहर के खाने का वक्त हो जाता और वह तमीजदार लडका, जो बडे संपन्न घराने की औलाद हुआ करता था और उसे जिसको चीको साहब की लडकी ब्याही रहा करती थी, वक्ता की पीठ का कपडा खींच खींचकर इशारे से बताने लगता कि चाचाजी, खाना तैयार है। कभी कभी कुछ वक्तागण आगे की बात भी बता ले जाते थे और तब मालूम होता कि उनके आगे की और पीछे की बात में कोई फर्क नहीं था, क्योंकि घूम फिरकर बात यही रहती कि भारतवर्ष एक खेतिहर देश है, तुम खेतिहर हो, तुमको अच्छी खेती करनी चाहिये, अधिक अन्न उपजाना चाहिये। प्रत्येक वक्ता इसी सन्देह में गिरफ्तार रहता था कि काश्तकार अधिक अन्न नहीं पैदा करना चाहते।
लेक्चरों की कमी विज्ञापनों से पूरी की जाती थी और एक तरह से शिवपालगंज में दीवारों पर चिपके या लिखे हुए विज्ञापन वहाँ की समस्याओं और उनके समाधानों का सच्चा परिचय देते थे। मिसाल के लिए, समस्या थी कि भारतवर्ष एक खेतिहर देश है और किसान बदमाशी के कारण अधिक अन्न नहीं उपजाते। इसका समाधान यह था कि किसानों के आगे लेक्चर दिया जाये और उन्हें अच्छी अच्छी तस्वीरें दिखायी जायें। उनके द्वारा उन्हें बताया जाय कि तुम अगर अपने लिए अन्न नहीं पैदा करना चाहते तो देश के लिए करो। इसी से जगह जगह पर पोस्टर चिपके हुए थे जो काश्तकारों से देश के लिए अधिक अन्न पैदा कराना चाहते थे। लेक्चरों और तस्वीरों का मिला जुला असर काश्तकारों पर बडे जोर से पडता था और भोले से भोला काश्तकार भी मानने लगता था कि हो न हो, इसके पीछे भी कोइ चाल है
  •  यह सही है कि सत्य’, अस्तित्व आदि शब्दों के आते ही हमारा कथाकार चिल्ला उठता है, सुनो भाइयों, यह किस्सा कहानी रोककर मैं थोडी देर के लिए तुमको फिलासफी पढाता हूँ, ताकि तुम्हें यकीन हो जाय कि वास्तव में मैं एक फिलासफर था, पर बचपन के कुसंग के कारण यह उपन्यास (या कविता) लिख रहा हूँ। इसलिए हे भाइयों, लो, यह सोलह पेजी फिलासफी का लटका, और अगर मेरी किताब पढते पढते तुम्हें भ्रम हो गया हो कि मुझे औरों जैसी फिलासफी नहीं आती, तो उस भ्रम को इस भ्रम से काट दो।
तात्पर्य यह है, क्योंकि फिलासफी बघारना प्रत्येक कवि और कथाकार के लिए अपने आपमें एक वैल्यू है, क्योंकि मैं कथाकार हूँ, क्योंकि सत्य’, अस्तित्व आदि की तरह गुटबन्दी जैसे एक महत्वपूर्ण शब्द का जिक्र आ चुका है, इसीलिए सोलह पृष्ठ के लिए तो नहीं, पर एक दो पृष्ठ के लिए अपनी कहानी रोककर मैं भी पाठकों से कहना चाहूँगा कि सुनो सुनो हे भाइयों, वास्तव में मैं एक फिलासफर था, पर बचपन के कुसंग के कारण...
  •   गाँव के किनारे एक छोटा सा तालाब था जो बिल्कुल अहा ग्राम्य जीवन भी क्या है था! गन्दा कीचड से भरा पूरा, बदबूदार। बहुत क्षुद्र। घोडे, गधे, कुत्ते, सुअर उसे देखकर आनन्दित होते थे। कीडे मकोडे और भुनगे, मक्खियाँ और मच्छर‌ ‌-परिवार-नियोजन की उलझनों से उन्मुख- वहाँ करोडों की संख्या में पनप रहे थे और हमें सबक दे रहे थे कि अगर हम उन्हीं की तरह रहना सीख लें तो देश की बढती हुई आबादी हमारे लिए समस्या नहीं रह जायेगी। गन्दगी की कमी को पूरा करने के लिए दो दर्जन लडके नियमित रूप से शाम-सवेरे और अनियमित रूप से दिन को किसी भी समय पेट के स्वेच्छाचार से पीडित होकर तालाब के किनारे आते थे और- ठोस, द्रव तथा गैस-तीनों प्रकार के पदार्थ उसे समर्पित करके, हल्के होकर वापस लौट आते थे।
अपने पिछडेपन के बावजूद किसी देश का जैसे कोई न कोई आर्थिक और राजनीतिक महत्त्व अवश्य होता है, वैसे ही इस तालाब का भी, गन्दगी के बावजूद, अपना महत्त्व था। उसका आर्थिक पहलू यह था कि उसमें ढालू किनारों पर दूब अच्छी उगती थी और वह शिवपालगंज के इक्कावालों के घोडों की खाद्यसमस्या दूर करती थी। उसका राजनीतिक पहलू यह था कि वहाँ घास छीलनेवालों के बीच सनीचर ने कैन्वेसिंग की और अपने लिए वोट माँगे।
  •  अदालत के कुछ कहने के पहले ही जोगनाथ के वकील को गुस्सा आ गया। वास्तव में वे एक ऐसे वकील थे जो अपने गुस्से के लिए मशहूर थे और उनके दलाल प्राय: नये मुकदमेबाजों को उनका गुस्सा दिखाने के लिए ही इजलासों में पकड ले जाया करते थे। गुस्सा ही उनकी विद्या, उनकी बुद्धि, उनका कानूनी ज्ञान, उनका अस्त्र -शस्त्र और कवच था। वही उनका साइनबोर्ड, उनका विज्ञापन, ‌‌‌‌‌उनका पितृ-मातृ-सहायक-स्वामि-सखा था। जब वे गुस्सा करते थे तो दूसरे लोग काँपे या नहीं, वे खुद थर-थर काँपने लगते थे; समझदार अदालतें उनके गुस्से से अप्रभावित रहकर चुपचाप काम करती थीं और उसे खाँसने और छींकने की श्रेणी का मामूली व्यवसाय समझकर उस पर कोई राय नहीं देती थीं। अगर किसी अदालत ने उनके गुस्से का बुरा माना तो उस अदालत की निन्दा में वकील साहब बार असोसिएशन में भाषण देते थे और असोसिएशन प्रस्ताव पास करता था।
  • पुनर्जन्म के सिद्धान्त की ईजाद दीवानी की अदालतों में हुई थी, ताकि वादी और प्रतिवादी इस अफसोस को लेकर न मरें कि उनका मुकदमा अधूरा ही पडा रहा। इसके सहारे वे सोचते हुए चैन से मर सकते है कि मुकदमे का फैसला सुनने के लिए अभी अगला जन्म तो पडा ही है।
  •     શાળાની ઓચિંતી મુલાકાતે આવેલા એક નેતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે, એનો અહેવાલ.)
उन्होंने कहा कि शिक्षा के क्षेत्र में पिछली शताब्दि की यह एक असाधारण उपलब्धि है कि हम इतनी जल्दी जान गये है कि हमारी शिक्षा-पद्धति खराब है। फिर उन्होंने, लडकों को खेती करनी चाहिए, दूध पीना चाहिए, स्वास्थ्य बनाना चाहिए और भविष्य का नेहरू और गाँधी बनने के लिए तैयार रहना चाहिए-ये सब बातें बतायीं जो लडके उनको भी बता सकते थे। इसके बाद समन्वय,एकता,राष्ट्रभाषा का प्रेम-इस सब पर एक अनिवार्य जुम्ला बोलकर, कॉलिज की समस्याओं पर विचार करने का सालाना वादा करके, सेवा के बाद तत्काल मिलनेवाली मेवा खाकर और चाय पीकर वे फिर सत्तर मील की रफ्तार से आगे बढ गये।
मास्टर और लडके भाइयों और बहनों की नकल उतारते हुए अपने-अपने घर चले गये। शिक्षा-पद्धति में आमूल परिवर्तन के सूझाव पर अमल करने के लिए कॉलिज में माली, चपरासी और मजदूर रह गये।
  •               કો ઓપરેટીવ યુનિયનમાં પોતે કરેલા ગોટાળા વિશે વૈદજી આ રીતે આશ્વાસન લે છે.)
हमारी युनियन में गबन नहीं हुआ था, इस कारण लोग हमें सन्देह की दृष्टि से देखते थे। अब तो हम कह सकते है कि हम सच्चे आदमी है। गबन हुआ है और हमने छिपाया नहीं है। जैसा है, वैसा हमने बता दिया है।  
  •    (ગામના એક નાગરિક રામાધીનને જાસાચિઠ્ઠી મળે છે, જેમાં અમુક સ્થળે પાંચ હજાર રૂપિયા મૂકી જવાનું લખ્યું હોય છે. આ બાબતે એક પોલિસ અને રુપ્પન વચ્ચેનો સંવાદ.)
दारोगाजी मुस्कराकर बोले, यह तो साहब, बडी ज्यादती है। कहाँ तो पहले के डाकू नदी-पहाड लाँघकर घर पर रूपया लेने आते थे, अब वे चाहते है कि कोई उन्हीं के घर जाकर रूपया दे आवे।
रूप्पन बाबू ने कहा, जी हाँ। वह तो देख रहा हूँ। डकैती न हुई, रिश्वत हो गयी।
दारोगाजी ने भी उसी लहजे में कहा, रिश्वत, चोरी, डकैती-अब तो सब एक हो गया है... पूरा साम्यवाद है।

Thursday, September 22, 2011

પ્રિય સર્જકને જ્ઞાનપીઠ સન્માન: અવસર, ઉમળકો અને આનંદ



શ્રીલાલ શુકલ / Shrilal Shukla
આપણી ભાષાના કોઈ સર્જકને જ્ઞાનપીઠ જેવો પ્રતિષ્ઠીત પુરસ્કાર ન મળે ત્યાં સુધી એ પુરસ્કાર પ્રત્યે આપણું ધ્યાન ખેંચાતું નથી. ઘણી વાર તો એમ પણ બને છે કે આવો કોઈ પ્રતિષ્ઠીત પુરસ્કાર મળે ત્યારે જ એ પ્રાપ્ત કરનાર સર્જકની મહાનતાની નોંધ સ્થાનિક સ્તરે લેવાય. રતિલાલ અનિલે એક મુલાકાત દરમ્યાન બહુ માર્મિક રીતે આ બાબતે ટીપ્પણી કરતાં કહેલું, પહેલાં મોટી લાઈટ થાય, ત્યાર પછી નાની લાઈટ થતી હોય છે. સોમવારે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર ત્રણ સર્જકોનાં નામ જાહેર થયા, જેમાં એક છે કન્નડ સાહિત્યકાર ચન્દ્રશેખર ક્મ્બર(૨૦૧૦) , અને બીજા છે હિંદીના સર્જક અમર કાન્ત તેમજ શ્રીલાલ શુકલ (૨૦૦૯). બાકીના બે સર્જકોના કામથી પરિચીત નથી, પણ શ્રીલાલ શુકલનું નામ વાંચતાં જ ખૂબ આનંદ થયો. તેમની ઘણી કૃતિઓ વાંચી છે, માણી છે, પણ તેમણે ફક્ત એક જ કૃતિ લખી હોત, તોય તેમનું અવતારકાર્ય સંપન્ન થયેલું ગણાત. એવી મજબૂત, સદાબહાર, હાસ્યવ્યંગની ગીતા જેવી એ નવલકથા એટલે રાગ દરબારી’.
**** **** ****

રાગ દરબારીની વિવિધ
આવૃત્તિનાં મુખપૃષ્ઠ
ઈન્ટ્રાવેનસ કે ઈન્ટ્રામસ્ક્યુલર શબ્દ ભલે દવાઓ (ઈન્જેક્શન દ્વારા) શરીરમાં દાખલ કરવાનો પ્રકાર હોય, દવાઓ સિવાયની ઘણી વસ્તુઓ પણ શરીરમાં આ રીતે દાખલ થઈ શકે છે અને રગરગમાં ભળી જઈ શકે છે, તેની ધાર ઈન્જેક્શનની ધાર જેવી તીવ્ર હોય તો! અને વ્યંગની ધાર ઈન્જેક્શનની અણી કરતાંય કંઈક ગણી તીવ્ર હોય છે. 
ચોક્કસ વરસ યાદ નથી, પણ ૯૧ કે ૯૨નું વરસ હશે. આઈ.પી.સી.એલ. ક્લબની લાયબ્રેરીમાં રાગ દરબારી નવલકથા છે કે નહીં એ શોધી રહ્યો હતો. સહેલાઈથી એ મળી ગઈ. મળ્યા પછી ઘેર લાવીને વાંચવાની શરૂ કરી દીધી. વાંચતાં વાંચતાં એને કેમે કરીને મૂકવાનું મન થાય નહીં. કેટલીય બાબતો કે ઉલ્લેખો વાંચીને એમ થાય કે કોની સાથે વહેંચીએ! બહુ ઝડપથી એ નવલકથા પૂરી કરી. એ પછી તરત ઉર્વીશને એ વાંચવા આપી. પણ સાથે ટીપ આપતાં કહ્યું, શરૂ શરૂમાં કદાચ ન જામે તો પણ મૂકતો નહીં. વાંચવાનું ચાલુ રાખજે. પછી જોજે એની મઝા! ઉર્વીશે પણ એ વાંચી. એનેય મારા જેટલો જ જલસો પડ્યો. એ પછી તો દિવસો સુધી અમે એ નવલકથા, એનાં પાત્રો, એમની લાક્ષણિકતાઓ, કથાના વ્યંગ વિશે વાતો કરતા રહ્યા.
એ હતો રાગ દરબારીને પહેલી વાર વાંચ્યા પછી થયેલો અનુભવ. ત્યારથી લઈને આજ સુધી તો એ કેટલી વાર વંચાઈ હશે, એની ગણતરી હવે મૂકી દીધી છે. ટેબલ પર એની એક નકલ મૂકેલી જ રાખીએ છીએ. ઈચ્છા  થાય ત્યારે, ઈચ્છા થાય એ પાનાથી જેટલું વંચાય એટલું વાંચી લેવાનો ક્રમ અમે બન્નેએ જાળવી રાખ્યો છે.
રાગ દરબારીનું પાન આંખોથી કે મનથી નહીં, ઈન્ટ્રાવેનસ પદ્ધતિએ અમારામાં થઈ ગયું છે.
પણ આ અદભૂત નવલકથા સુધી પહોંચ્યા શી રીતે? કોણે એ સૂચવી?
દૂરદર્શન પર સિરીયલનો સુવર્ણયુગ ચાલતો હતો ત્યારે દર શુક્રવારે આ નામની એક સિરીયલ શરૂ થયેલી. ઓમપુરી, રાજેશ પુરી, મનોહર સીંઘ, આલોક નાથ જેવા ધુરંધર અભિનેતાઓ આમાં કામ કરતા હતા. આ સિરીયલનું શીર્ષક ગીત પં.ભીમસેન જોશીએ ગાયું હતું. સૌથી પહેલા હપ્તામાં આ નવલકથાના લેખક શ્રીલાલ શુક્લ દેખાયા હતા. તેમનો ચહેરો કે એ જે બોલ્યા હતા એમાંનું કશું યાદ રહ્યું નહોતું, પણ એટલું યાદ રહી ગયેલું કે આ નામની એક નવલકથા છે. આ ટી.વી.સિરીયલના હપ્તા છૂટાછવાયા જોવાનું બન્યું, એમાં એટલો ખ્યાલ આવ્યો કે ચોટદાર અને જબરદસ્ત વ્યંગ છે આમાં, પણ સિરીયલની માવજત નબળી છે.
સિરીયલ આખી ચાલી કે વચ્ચે અટકી ગઈ એનો ખ્યાલ નથી, પણ લાગ્યું કે હવે મૂળ નવલકથા વાંચવી પડશે. તક મળતાં જ તેની શોધ શરૂ થઈ. પ્રમાણમાં સહેલાઈથી એ તરત પણ ગઈ. અને એ વાંચી લીધા પછી એના લેખક શ્રીલાલ શુક્લ કોણ હશે? ક્યાંના હશે? ક્યાં રહેતા હશે? એવી જિજ્ઞાસાઓ મનમાં થવા લાગી, જેના જવાબ પણ સમયાંતરે મળતા ગયા.
એવું  વાંચવા મળ્યું કે શુક્લજી આઈ.એ.એસ. અધિકારી હતા. અને આ નવલકથા એમણે પોતાના કાર્યકાળ દરમ્યાન જ લખેલી. પ્રકાશન વર્ષ હતું ૧૯૬૮નું. એ પછીના વરસનું સાહિત્ય અકાદમીનું પ્રતિષ્ઠીત સન્માન રાગ દરબારીને મળેલું. એ પછી તો એની અનેક આવૃત્તિઓ થઈ છે, થતી રહી છે. પણ એક વાતનો ખ્યાલ આવ્યો કે આ નવલકથાની અસલી મઝા એને વાંચવાની છે, અન્ય કોઈ પણ માધ્યમમાં એ ન જામે. એની શૈલી જ એવી છે. પંદરેક વરસ અગાઉ વિવિધભારતી પરના હવામહલ કાર્યક્રમમાં પણ રાગ દરબારી રોજેરોજ પ્રસારિત થતી હતી. પણ એમાંય ખાસ મઝા નહોતી આવતી.
અમને થયું કે શ્રીલાલજીનો સંપર્ક કરવો જોઈએ પત્રથી. પણ સરનામું ક્યાંથી મેળવવું? એ વખતે ગૂગલ ક્યાં હતું? અરે, મોબાઈલ ફોન પણ નહોતા. અમારી પાસે રાગ દરબારીના પ્રકાશક દિલ્હીના રાજકમલ પ્રકાશનનું સરનામું હતું. એમની પાસેથી શ્રીલાલ શુક્લનું સરનામું મંગાવવાનો વિચાર કર્યો. પ્રકાશક એ મોકલશે કે નહીં એની ખબર નહોતી. પણ અમે પોસ્ટકાર્ડ લખ્યું અને પૂછાવ્યું. ધાર્યા કરતાં વધુ ઝડપે અને ચીવટપૂર્વક રાજકમલ પ્રકાશને અમને સરનામું મોકલી આપ્યું. અને એ પણ અંતર્દેશીય પત્ર દ્વારા. એમની આ ચેષ્ટા અત્યંત સૌજન્યપૂર્ણ હતી. એ સૌજન્યશીલ પત્ર પણ વાંચવા જેવો છે. 


અમારો ઉત્સાહ બેવડાયો. જાણ થઈ કે લેખક લખનૌમાં રહે છે. શ્રીલાલ શુકલને અમે લખનૌના સરનામે હિંદીમાં પત્ર લખ્યો, જેમાં અલબત્ત, રાગ દરબારી વિષેની જ વાતો હતી. પત્ર લખતાં જે મઝા આવતી એની શી વાત કરવી! એમ થાય કે સામી વ્યક્તિ સુધી એ પત્ર પહોંચે અને એ વાંચે તોય બસ. જવાબ આપે કે ન આપે, વાંધો નહીં. પણ અમારા આશ્ચર્ય વચ્ચે બીજા અઠવાડિયે અમારા સરનામે હિંદી અક્ષરોવાળું એક પોસ્ટકાર્ડ આવ્યું. એ લખ્યું હતું શ્રીલાલ શુકલે. એમણે આભાર માનતાં જણાવ્યું હતું કે 'રાગ દરબારી'નો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે, જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. (ગુજરાતી અનુવાદ હરિન્દ્ર દવેએ કર્યો છે.) અમારા માટે તો આ આવ અણધાર્યું હતું. એ દિવસે જે રોમાંચ થયો હતો, એ આજેય અનુભવી શકાય એવો અકબંધ છે. એ પછી તો અમારી અને એમની વચ્ચે પત્રવ્યવહાર સ્થપાઈ ગયો. દિવાળી યા અન્ય શુભ અવસરે એમને પત્ર લખીએ કે એમનો જવાબ આવ્યો જ હોય.
અંગ્રેજી અનુવાદ
આ ગાળામાં મિત્રોમાં રાગ દરબારીનો પ્રસાર ચાલુ જ હતો. જો કે, મોટા ભાગના મિત્રોને હિંદી વાંચવાની આદત ઓછી હોવાથી તેઓ આખી વાંચી શક્યા નહીં.
દરમ્યાન રાગ દરબારીની પહેલી નકલ પણ અમે વસાવી, જે પેપરબેક હતી.
બિનીત મોદી સાથે આ ગાળામાં ઓળખાણ થયેલી. તેને એવી નોકરી હતી કે સતત બહાર ફરવાનું થતું, મોટે ભાગે ઉત્તરના રાજ્યોમાં. કોઈ પણ દેશમાં જવું હોય તો સૌથી પહેલાં પોતાના ગામ કે શહેરના બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશને જવું પડે. એમ બિનીત ક્યાંય પણ જાય ત્યારે અમદાવાદ પછીનું તરતનું સ્ટેશન મહેમદાવાદ હોય અને જઈને પાછો આવે ત્યારે અમદાવાદ કરતાં પહેલું સ્ટેશન મહેમદાવાદ હોય. આવા એક પ્રવાસ દરમ્યાન એ અમારા માટે રાગ દરબારીની પાકા પૂંઠાવાળી નકલ લેતો આવ્યો અને અમને ભેટ આપી. એને રાગ દરબારી પ્રત્યેના અમારા રાગની બરાબર ખબર હતી.
૧૯૯૭માં મારે વડોદરા સ્થાયી થવા માટે આવવાનું બન્યું, ત્યાર પછી બીજાં બધાં પુસ્તકો મહેમદાવાદના મુખ્ય ઘરે જ રહ્યાં, પણ રાગ દરબારીની અલાયદી નકલ મેં વસાવી લીધી. ઓક્સિજનની ટ્યૂબ સહિયારી ન ચાલે, એ તો આગવી જ હોવી જોઈએ, તો જ બન્નેને એનો લાભ મળી શકે.
**** **** ****
આ મારી નકલ. 
૧૯૯૭માં ઉર્વીશ સંદેશમાં કામ કરતો હતો. એ વરસના ઓગસ્ટમાં આપણા દેશની આઝાદીના પચાસ વરસ પૂરા થતા હતા. એ નિમિત્તે એણે કેપ્ટન લક્ષ્મી સહગલને મળવાનું ગોઠવ્યું, જે કાનપુર રહેતાં હતાં. મેં પણ મારી નોકરીમાંથી રજા લીધી અને આ લ્હાવો લેવા માટે તેની સાથે જોડાવાનું નક્કી કર્યું. નિયત દિવસે અમે ઉપડ્યા કાનપુર તરફ. ટ્રેનમાં ઉર્વીશે બેગ ખોલીને એક વસ્તુ દેખાડી. એ હતી રાગ દરબારીની બિનીતે આપેલી નકલ. એ કેમ લીધી?’ ના જવાબમાં એણે કહ્યું, કાનપુરથી લખનૌ સીત્તેર-પંચોતેર કિલોમીટર છે. કોને ખબર આપણને ચાન્સ મળી જાય તો.... આગળની વાત હું સમજી ગયો કે ‘…..તો શ્રીલાલ શુક્લને મળી શકાય.
અમારે મન કાનપુરની ઓળખ એટલે હરમંદિરસીંઘ હમરાઝ’. કાનપુર ગયા અને એમને પણ મળ્યા. કેપ્ટન લક્ષ્મી સહગલનો સતત ચાર દિવસ સુધી રોજેરોજ ઈન્ટરવ્યૂ લીધો. આખરે અમારે પાછા ફરવાનો દિવસ આવી ગયો. કાનપુરમાં અમારા ચાર દિવસ એટલા વ્યસ્ત ગયા હતા કે લખનૌનો વિચાર સુદ્ધાં આવ્યો નહોતો. જવાના દિવસે સવારે અમે સામાન પેક કરી દીધો. ટ્રેનનો ચોક્કસ ટાઈમ જોવા માટે ટિકીટ કાઢી. અમને એવો જ ખ્યાલ હતો કે સવારના અગિયારેક વાગ્યાની ટ્રેન છે. પણ ટિકીટ પર વાંચ્યું તો ખબર પડી કે ટ્રેનનો સમય રાતના અગિયારનો છે. મતલબ કે અમારી પાસે આખો દિવસ હતો, કેમ કે બાકીનાં મુખ્ય કામ તો પતી ગયાં હતાં. છતાંય અમે રેલ્વે સ્ટેશને જઈને સમયની ખાતરી કરી લીધી. હવે શું કરવું એ નક્કી જ હતું. સાથે રાખેલી રાગ દરબારી ફળી હતી.
મરાઠી અનુવાદ 
સ્ટેશનેથી લખનૌ જતી બસ પકડી લીધી. શ્રીલાલ શુકલનું બી-૨૨૫૧, ઈન્દીરાનગરનું સરનામું તો અમને મોઢે જ હતું. પણ એમનો સંપર્ક શી રીતે કરવો એ સવાલ હતો. લખનૌનો દોઢ- બે કલાકનો રસ્તો અમે રાગ દરબારીના સંવાદો અને સિચ્યુએશન્સની વાતો કરતાં કરતાં ગાળ્યો, જેને લઈને શુકલજીને મળવા માટેનું વોર્મિંગ અપ થઈ જાય.
બસે અમને લખનૌના રેલ્વે સ્ટેશન નજીક ઉતાર્યા. ઉતરીને કઈ દિશામાં જવું એની ક્યાં ખબર હતી? એટલે પહેલાં નજીકના એક એસ.ટી.ડી. બૂથમાં ગયા અને સ્થાનિક ટેલીફોન ડિરેક્ટરી માંગી. એમાંથી શ્રીલાલ શુકલનું નામ શોધી કાઢ્યું, સરનામાની ખાતરી કરી અને જોડ્યો ફોન. સામે છેડે ફોન ઉપાડનાર શ્રીલાલ શુક્લ પોતે હતા એ જાણીને કેવો રોમાંચ થઈ આવે! ઉર્વીશે વાત કરી તો એમણે તરત તૈયારી બતાવી અને અમને પોતાને ત્યાં શી રીતે આવવું એનું માર્ગદર્શન આપ્યું. અમદાવાદના અંતરની સરખામણી કરીએ તો મણિનગરથી બોપલ જેટલું લાંબું અંતર હતું એ, અને ત્યાં પહોંચવા માટે અમારે બે સ્થળે રીક્ષા બદલવાની હતી. શુકલજીએ અમને બરાબર સમજાવેલું એટલે અડધોએક કલાકમાં તો અમે એમને ઘેર પહોંચી ગયા. એમના નામની તકતી વાંચીને ઘડીભર તો માનવામાં ન આવ્યું કે રાગ દરબારીના સર્જકને ઘેર અમે પહોંચ્યા છીએ. ડોરબેલ વગાડ્યો.
શ્રીલાલ શુકલ અમારી રાહ જ જોતા હતા. એમણે પોતે જ દરવાજો ખોલ્યો અને પૂછ્યું, મિ.કોઠારી?” શી રીતે એમનું અભિવાદન કરવું એ જ સમજ ન પડે. એમણે તો હાથ જ લંબાવ્યો, પણ અમે ચરણસ્પર્શ જેવી ચેષ્ટા કરી, તેમના પ્રત્યે આદર દર્શાવવા!
એ પછીનો અડધો-પોણો કલાક જિંદગી આખીનું મહામૂલું સંભારણું બની રહ્યો છે. 

 પ્રિય લેખક સાથે મુલાકાત: શ્રીલાલ શુકલ  સાથે ગોષ્ઠી / Shrilal
Shukla in conversation with Biren Kothari, August, '97 


આ મુલાકાત દરમ્યાન થયેલી વાતોમાંની રાગ દરબારી વિષેની વાતો ઉર્વીશે તેના બ્લોગ પર મૂકી છે. અહીં ક્લીક કરવાથી તેના બ્લોગ પર જઈને એ વાંચી શકાશે.
http://urvishkothari-gujarati.blogspot.com/2011/09/blog-post_22.html
 **** **** ****

વરસો વીત્યાં, સમજ પણ વિકસતી ગઈ, પણ રાગ દરબારીનું આકર્ષણ ઓસરવાને બદલે સતત વધતું રહ્યું છે. એમાં દર્શાવેલા કિસ્સાનો સંદર્ભ તો કેટલીય વાર અમે સામાન્ય વાતચીતમાં કરીએ, એટલે બીજી વાત આપોઆપ સમજી જવાય. જેમ કે, એક વાર ટ્રેનમાં બનેલા એક કિસ્સા અંગે ઉર્વીશ મને વાત કરતો હતો. થોડું આરંભિક વર્ણન કરીને એણે મને કહ્યું, પછી તો દૂરબીનચાચાવાળી થઈ ગઈ. એમ હું પણ કોઈક કિસ્સો એને કહેતો હોઉં તો માત્ર પૂર્વભૂમિકા આપીને કહી દઉં, પછી પિકાસોવાળી થઈ ગઈ. આગળ કશુંય સમજાવવાની જરૂર નહીં. રાગ દરબારીના કેટલાય જુમલાઓ અમે અવારનવાર અડધાપડધા, કહેવતની જેમ વાપરીએ. જેમ કે, બડે અચ્છે આદમી થે....ગુજર ગયે’, યે ગંજહોં કે ચોંચલે હૈ... લીખે દેખ અંગરેજી અચ્છર... ભાગે મલેરિયા કે મચ્છર’, પાંય લાગી પંડિત..’, સમઝદાર કી મૌત હૈ’, છછૂંદર જૈસે આયે થે, ગૈંડા બનકર જાયેંગે’, વીરગતિ કો પ્રાપ્ત હુએ યાની ટેં હો ગયે અને આવા તો કેટલાય. અરે, ગાંધીગીરી શબ્દ પણ પહેલવહેલો આ નવલકથામાં વાંચવા મળેલો, જે લખાઈ હતી ૧૯૬૮માં.
૧૯૯૯ની આસપાસ હિંદી ઈન્ડીયા ટુડેમાં વાચકો માટે સદી કી સર્વશ્રેષ્ઠ કૃતિ: પાઠકોં કા ચયન નામે એક વિભાગ ચાલુ કરવામાં આવેલો. વાચક પોતાને ગમતી કોઈ કૃતિ વિષે આશરે પાંચસો શબ્દોમાં લખી મોકલે. લખાણ પસંદ થાય તો ઈન્ડીયા ટુડેમાં નામ સાથે પ્રકાશિત થાય અને પાંચસો રૂપિયાનો પુરસ્કાર પણ મળે. આ વિભાગમાં રાગ દરબારી વિષે મેં મોકલેલું લખાણ ૧ સપ્ટેમ્બર, ૧૯૯૯ના અંકમાં પ્રકાશિત થયું. પાંચસોના પુરસ્કાર કરતાંય રાગ દરબારી વિષે ઈન્ડીયા ટુડેમાં છપાયું એનો આનંદ વધુ થયેલો. આ લખાણ અહીં મૂક્યું છે.


રાગ દરબારી પ્રત્યેનો અમારો ઋણભાવ એટલો પ્રબળ છે કે બે વરસ પહેલાં ઉર્વીશના હાસ્યલેખોનો સૌ પ્રથમ સંગ્રહ બત્રીસ કોઠે હાસ્ય પ્રકાશિત થયો ત્યારે આ પુસ્તક તેણે કોઈ વ્યક્તિવિશેષને અર્પણ કરવાને બદલે રાગ દરબારી અને વિનોદની નજરે એમ બે પુસ્તકવિશેષને અર્પણ કરેલું.
ડીસેમ્બર ૩૧, ૧૯૨૫ના રોજ જન્મેલા શ્રીલાલ શુક્લ હવે તો ૮૬ના થયા. ૨૦૦૮માં એ પદ્મભૂષણથી સન્માનિત પણ કરાયા હતા. અને હવે સાહિત્યના સર્વોચ્ચ ગણાતા જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
એમને ભલે જ્ઞાનપીઠ પુરસ્કાર છેક હમણાં મળે, એમણે તો આપણને રાગ દરબારીની ભેટ ધરીને આપણો જ્ઞાનપીઠ ક્યારનોય આપી દીધો છે.
આ શુભ અવસર નિમિત્તે શ્રીલાલ શુક્લને સ્વસ્થ જીવનની અનેકાનેક શુભકામનાઓ. 


(નોંધ: પત્ર, ઇન્ડિયા ટુડેનું પાનું તેમજ 'રાગ દરબારી'ના એક કવર સિવાયની તમામ તસવીરો નેટ પરથી લીધી છે.)