શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાના અવસાનના થોડા દિવસ અગાઉ મિત્ર તેજસ વૈદ્ય અને બિનીત મોદી દ્વારા સમાચાર મળ્યા. રતિલાલ સાથેનો સંબંધ વિશિષ્ટ પ્રકારનો રહ્યો.
Saturday, June 20, 2026
કળાને સમર્પિત કળાશિક્ષક, કળાકારની વિદાય
Wednesday, May 27, 2026
રમૂજની પહેલી શરત એટલે જાત પર હસતાં શીખવું
ઊનાળુ વેકેશન દરમિયાન અમદાવાદના એ.એમ.એ. (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન) દ્વારા બાળકોને ધ્યાનમાં રાખીને અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જે AMAzing Summer Camp તરીકે ઓળખાવાય છે. આ વર્ષે અહીં મારે બે વર્કશોપ કરવાની હતી. એક તો પેપર કોલાજની અને બીજી કાર્ટૂન સ્કેચની એટલે કે કાર્ટૂન દોરતાં શીખવવાની.
| કાર્ટૂન દોરવામાં રત વિદ્યાર્થીઓ |
| શરબતવાળા રૂમમાં આટલી આટલી વસ્તુઓ આ રીતે હતી |
પાછા આવ્યા પછી એક પછી એક વિદ્યાર્થીઓ એ નિરીક્ષણ રજૂ કરવા લાગ્યા. અમુકે એ બોર્ડ પર ચીતરી બતાવ્યું. એ પછી એવી સ્થિતિમાં રમૂજ શી રીતે પેદા થાય એની વાત દરેક વિદ્યાર્થીઓએ આગવી રીતે કરી. છેલ્લે દરેકે એક કાર્ટૂન યા કેરિકેચર દોરવાનું હતું. સૌએ દોરેલાં કાર્ટૂનને એક સાથે મૂકીને એ.એમ.એ.ના પાર્થ ત્રિવેદી સહિત બીજા મિત્રોને એ જોવા માટે નિમંત્ર્યા. આ વખતે પણ દરેક વિદ્યાર્થીએ પોતે દોરેલા કાર્ટૂન વિશે વાત કરી.
Tuesday, May 26, 2026
કાગળ ફાડીને કલાકૃતિ
દોઢેક કલાક પછી નાના બ્રેક દરમિયાન સૌની સાથે થોડી વાતો થઈ. ધીમે ધીમે મોટા ભાગના બાળકોએ પોતાની કૃતિ પૂરી કરી. ત્રીજા/ચોથા ધોરણથી લઈને દસમા સુધીનાં બાળકો હતાં. સૌની કૃતિઓ પૂરી થાય એ પછી તેને એક જગ્યાએ મૂકવાની હતી, જેથી સૌ એકમેકનું કામ જોઈ શકે. સૌની કૃતિઓ ગોઠવાઈ ગઈ એટલે એ.એમ.એ.ના પાર્થ ત્રિવેદી અને તેમના કેટલાક સહકર્મીઓને અમે એ જોવા માટે આમંત્રણ આપ્યું. ઊપક્રમ એવો રાખ્યો કે દરેક જણ પોતાની કૃતિ બતાવે અને એના વિશે વાત કરે. આમાં બહુ મજા આવી.
| પોતાના સર્જન પાછળનો વિચાર દર્શાવતા સહભાગીઓ |
| પોતપોતાની કૃતિઓ સાથે સમગ્ર ટીમ |
Thursday, May 14, 2026
કાગળને લાડ લડાવવાની કળા એટલે પેપર કોલાજ
શાળામાં મોટા ભાગના લોકોએ રંગીન કાગળને વાળીને, કાતર વડે કાપીને ભાતચિત્ર તૈયાર કરીને નોટબુકમાં કે ચિત્રપોથીમાં ચોંટાડ્યું હશે. એ બહુ સુંદર દેખાય, પણ ચાહે તો દરેક જણ એને એક સરખું બનાવી શકે. આને કૌશલ્ય એટલે કે ક્રાફ્ટ કહેવાય. પણ રંગીન કે શ્વેત-શ્યામ કાગળના ટુકડાને હાથ વડે યા કાતર વડે કાતરી કાતરીને તેને ચોંટાડવામાં આવે અને જે સંયોજન તૈયાર થાય એ ખરા અર્થમાં અનન્ય હોય. બનાવનાર ચાહે તો પણ અદ્દલ એકના જેવી બીજી ન બને. આથી એને કળા એટલે કે આર્ટ કહેવાય. ઘણા સુજ્ઞ લોકો પણ પેપર કોલાજને પેપર ક્રાફ્ટ સમજવાની ભૂલ કરી બેસે છે.
| જોધપુરના મહેરાનગઢના દૃશ્યનો પેપર કોલાજ (આ ફ્રેમ કરેલો હોવાથી તસવીરમાં રંગ બરાબર દેખાતા નથી, પણ ખ્યાલ આવી જશે.) |
Tuesday, June 17, 2025
આ ચિત્રો વાહિયાત છે
દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ ત્રિવાર્ષિકીમાં વિવિધ ભારતીય ચિત્રકારોનાં ચિત્રો પ્રદર્શિત થયાં હતાં. એમાં ભૂપેનનાં ચિત્રો પણ હતાં. આ પ્રદર્શનની મુલાકાતે અંગ્રેજ ચિત્રકાર હોવર્ડ હોજ્કિન આવેલા. ગીતા કપૂરના તે પરિચિત હતા. હોવર્ડને અસલ આધુનિક ભારતીય શૈલીનાં ચિત્રો જોવા મળશે એવી ઉમેદ હતી. પ્રદર્શન દરમિયાન ગીતા કપૂરે તેમને ચિત્રો વિશેનો અભિપ્રાય પૂછ્યો. હોવર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું : “આ ચિત્રો ભયંકર છે. આમ કહેવા બદલ દિલગીર છું, પણ આ ચિત્રો વાહિયાત છે.” આટલું કહીને ઉમેર્યું, “સિવાય કે આ ત્રણ.” આમ કહીને તેમણે ત્રણ ચિત્રો ચીંધ્યાં અને કહ્યું, “જુઓ, આને ચિત્ર કહેવાય’. આ સાંભળીને ગીતા કપૂરે કહ્યું, “બહુ રસપ્રદ કહેવાય. એ ચીતરનારો કલાકાર તમારી બાજુમાં જ ઊભેલો છે’. હોવર્ડનો એ ભૂપેનનાં ચિત્રો અને ભૂપેન સાથેનો પહેલો પરિચય. ચિત્રોના આટલા મોટા મેળાવડામાં કથનાત્મક શૈલીનાં આ ત્રણ ચિત્રો જ તેમને મૌલિક જણાયાં હતાં. તેમને લાગ્યું કે એ એક આગવી ઓળખ અને શૈલી ધરાવે છે. ભૂપેન સાથે અહીંથી શરૂ થયેલો પરિચય બહુ ઝડપથી આજીવન મૈત્રીમાં રૂપાંતરિત થયો.
હોવર્ડ હોજ્કિન અને ભૂપેન ખખ્ખર
Monday, June 16, 2025
મૂંઝવણ અને ઊકેલ
ચિત્રકાર તરીકે ભૂપેન ખખ્ખરની જીવનકથા લખવાની થાય ત્યારે એ સવાલ આવીને ઊભો રહે કે તેમના સજાતીય વલણ અંગે લખવું કે કેમ? અને લખવું તો કેટલું લખવું? શી રીતે લખવું? પોતાના જે વલણ બાબતે ખુદ ભૂપેને શબ્દો ચોર્યા વિના લખ્યું હોય એને એક ચરિત્રકાર તરીકે હું ન લખું તો એ વિચિત્ર કહેવાય. એવું ચોખલિયાપણું ખુદ ભૂપેનને જ નુકસાન કરે. ભલે ને તે લાભ કે નુકસાનના પ્રદેશની પેલે પાર નીકળી ગયા હોય! આથી એ નક્કી હતું કે આ બાબત છુપાવવી નહીં, વીંટાળીને લખવી નહીંં, બલકે શક્ય એટલી ખુલ્લાશથી, અપરસમાં સરી પડ્યા વિના આલેખવી.
ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ)
Sunday, June 15, 2025
એન્જિન અને ગાર્ડનો ડબ્બો તૈયાર થઈ ગયાં
![]() |
| બ્રાયને મોકલેલો ટેટ મોડર્નના પ્રદર્શનનો કેટલોગ |
![]() |
| ટેટ મોડર્નના પ્રદર્શન નિમિત્તે પ્રકાશિત થયેલું પુસ્તક |
Saturday, June 14, 2025
એ લેખ ત્યાર પછી લખી શકાયો
ભૂપેન ખખ્ખર વિશે પુસ્તક લખાવવાનો વિચાર આવ્યો અમરીશભાઈ કોન્ટ્રાક્ટરને. એ શી રીતે આવ્યો એની વિગત પુસ્તકમાં હોવાથી અહીં એનું પુનરાવર્તન નથી કરતો. પણ તેમણે મને પોતાની પાસે હતી એ તમામ સામગ્રી મને સોંપી. એ ઢગલાબંધ વસ્તુઓ જોઈને હું રાજી થયો. ઘેર લાવીને પહેલું કામ એ ઢગલાના વિભાજનનું કર્યું. અખબારનાં કટિંગ, પ્રદર્શનનાં નિમંત્રણપત્રો, કેટલોગ, ભૂપેને દોરેલાં ચિત્રોનાં કાર્ડ, ભૂપેન વિશેના લેખો વગેરે...અખબારનાં કટિંગમાં પણ મેં પેટાવિભાજન કર્યું. ભૂપેનની મુલાકાતો, ભૂપેન વિશે લખાયેલા લેખો, એમની વાર્તાના અનુવાદ, ભૂપેન વિશેના કોઈ સમાચાર...એવું બધું.

આ પત્ર ભૂપેન વિદેશ ગયા ત્યારે
ત્યાંથી વલ્લવભાઈને ભારતમાં લખેલો.
![]() |
| ભૂપેન ખખ્ખરે વલ્લવભાઈ પર લખેલા અનેક પૈકીનો એક પત્ર (આ પત્ર વલ્લવભાઈ અમેરિકા ગયા ત્યારે ભૂપેને ભારતથી લખેલો) |
Friday, June 13, 2025
'સ્ક્રેચ'થી શરૂ કર્યા પછી...
કોઈ પણ જીવનકથાનો આરંભ સાવ 'સ્ક્રેચ'થી કરવો પડે, ભલે ને વ્યક્તિ ગમે એટલી જાણીતી કેમ ન હોય! જાણીતી વ્યક્તિની જીવનકથા લખવામાં જોખમ એટલું કે મોટા ભાગના લોકો તેમની જાણીતી હોય એવી વાતો જ કરે. આપણને સોંપાયેલા કામ તરીકે જીવનકથા લખતા હોઈએ ત્યારે એમાં આવું ન ચાલે. એટલે આરંભ એકડે એકથી, અને અમુક કિસ્સામાં તો શૂન્ય કે એની આગળ ઋણ સંખ્યાથી પણ કરવાનો થાય. ભૂપેન ખખ્ખરની જીવનકથાનું કામ મને અમરીશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા સોંપાયા પછી જે 'સ્ક્રેચ'થી મારે આરંભ કરવાનો હતો એ કયો એ સમજાતું નહોતું. એટલે કે ભૂપેનના જન્મ, તેમના બાળપણ અને કિશોરાવસ્થા તેમજ યુવાવસ્થાની વાતો કોની પાસેથી મળે? એક તો ભૂપેનના અવસાનને જ ત્યારે તેર જેટલાં વર્ષ વીતી ગયેલાં. તેમનાં કુટુંબીજનોમાં એક તેમનાં મોટાં ભાભી લેખાબહેન હયાત હતાં. એ સિવાય ગુલામમોહમ્મદ શેખસાહેબ જેવા મિત્રો ભૂપેનના યુવાકાળના, અને બીજા તો એ પછીના. એક સુનિલ કોઠારી એવા હતા કે જેઓ ભૂપેનના શાળા તેમજ કોલેજકાળ વિશે જણાવી શકે. તેઓ દિલ્હી હતા અને વડોદરા આવવાનું તેમને બનતું હતું એટલે અમે ત્યાં સુધી એમની રાહ જોવાનું નક્કી કર્યું.
Tuesday, April 15, 2025
દોસ્તીનું તર્પણ
ભૂપેનની જીવનકથાના આલેખન વેળા જે લોકોને મળવાનું અમે આરંભ્યું એ આમ જોઈએ તો છેક પરિઘ પરથી. વલ્લવભાઈ કોન્ટ્રાક્ટર સાથે તેમને ગાઢ મૈત્રી હતી. વલ્લવભાઈ 'રાધાસ્વામી'ના અનુયાયી હોવાથી તેના સત્સંગમાં એ નિયમીત હાજરી આપતા. આ સત્સંગ ત્યારે તો સૂરસાગર નજીક આવેલા એક સત્સંગીને ઘેર થતો. ભૂપેન પોતાનું સ્કૂટર લઈને સત્સંગ પૂરો થવાના સમયે આવી જતા અને નીચે ઊભા રહેતા. વલ્લવભાઈ આવે એ પછી તેઓ સ્કૂટર પર બેસીને નીકળતા. વલ્લવભાઈનું એમના સત્સંગી વર્તુળમાં આદરમાન બહુ. સત્સંંગીઓ રોજ જુએ કે 'વલ્લવકાકા'ના એક મિત્ર રોજ એમની રાહ જોઈને ઊભા રહે છે. આથી એ સત્સંગીઓ પણ 'વલ્લવકાકા'ના મિત્રને 'કેમ છો?' કરતા થયા. ધીમે ધીમે તેમને 'ભૂપેનકાકા'ના નામથી બોલાવતા થયા. એ પછી એક વાર ભૂપેનનાં ચિત્રોનું પ્રદર્શન વડોદરામાં યોજાયું ત્યારે વલ્લવકાકા સાથે કેટલાક સત્સંગીઓ પણ 'ભૂપેનકાકા'નાં ચિત્રો જોવા ગયેલા. એમને ત્યારે ખબર પડી કે 'ભૂપેનકાકા' તો મોટા ચિત્રકાર છે. ધીમે ધીમે 'ભૂપેનકાકા' પણ સત્સંગમાં આવતા અને બેસતા થયા.
![]() |
| રાધાસ્વામી સંપ્રદાયના બાબુજી મહારાજનું ભૂપેને દોરેલું ચિત્ર |
![]() |
| વલ્લવભાઈ અને ભૂપેન |
![]() |
| રાધાસ્વામી સત્સંગ (છેક જમણે નિમિષ બહલ) |
Monday, April 14, 2025
મારો સગો? મને એમ કે એ તમારો ઓળખીતો છે
Sunday, April 13, 2025
એક પણ છેડો છૂટવો ન જોઈએ
સર્જકની સર્જકતાના મૂળ સુધી પહોંચવાની કવાયત આપણને સૌને ગમતી હોય છે. જેમ કે, ધૂમકેતુની વાર્તામાં આવતી પોસ્ટ ઑફિસ હકીકતમાં ફલાણા ગામની હતી, યા રજનીકુમાર પંડ્યાની નવલકથા 'કુંતી' મૂળ ફલાણી સત્યઘટના પરથી પ્રેરિત હતી વગેરે...આવી કવાયતમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે સર્જક આવાં સ્થળો કે ઘટનાઓનો ઊપયોગ કેવળ 'બીજ' તરીકે કરતો હોય છે. અસલી ચીજ છે તેની સર્જકતા. એ જ ઘટના કે સ્થળ બીજા અનેકોને ખબર હશે, પણ આવું સર્જન સર્જક જ કરી શકે.














%20%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%B5%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88,%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8,%20%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%20%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%20%E0%AA%85%E0%AA%A8%E0%AB%87%20%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8%20%20(1).jpg)