Showing posts with label તસવીરી અહેવાલ. Show all posts
Showing posts with label તસવીરી અહેવાલ. Show all posts

Wednesday, February 28, 2018

ભંડારદરા: સહ્યાદ્રિમાં આવેલો ખીણનો ભંડાર


શચિ કોઠારી 

(જાન્યુઆરી, 2018ના મધ્યમાં અમે મહારાષ્ટ્રના ભંડારદરા હીલસ્ટેશને ગયાં હતાં. પરેશ પ્રજાપતિના પરિવાર સાથેનો આ અમારો આઠમો સફળ પ્રવાસ હતો. નાશિક-ઈગતપુરીની વચ્ચે આવેલા સહ્યાદ્રિની ગિરિમાળામાં આવેલા આ અદ્‍ભુત સ્થળનું આગવું સૌંદર્ય છે. અહીં તેનો તસવીરી અહેવાલ મારી દીકરી શચિએ તૈયાર કર્યો છે.) 


સવારે વહેલા નીકળેલા અમે સાપુતારા-નાશિક વટાવીને સાંજે ભંડારદરા પહોંચ્યા. આ સ્થળના નામ અને ઈન્ટરનેટ પર વાંચેલી માહિતીથી વધુ કંઈ જ અમને ખબર નહોતી. સાંજે પહોંચ્યા પછી બીજા દિવસે અમે નજીક નજીકમાં ચાલતા ફરવાનું નક્કી કર્યું. સવારથી સાંજ અમે ટહેલતા રહ્યા. આટલી ઊંચાઈએ અહીં બનાવાયેલો વીલ્સન ડેમ જોયો. તેની પાછળ બનેલું જળાશય એટલે આર્થર લેક. તેમાં અમે બોટિંગ કર્યું. 
આ વિસ્તારમાં પુષ્કળ ખીણ (દરા) હોવાથી તેનું નામ 'ભંડારદરા' (ખીણનો ભંડાર) પડ્યું હોવાનું અમને જાણવા મળ્યું. 


વીલ્સન ડેમ 

વીલ્સન ડેમની આગળ આવેલો બગીચો 

આર્થર લેક પર સાંજ 

આર્થર લેકમાં બોટિંગ 
એ દિવસે અમને ત્યાં રહેતા એક ગાઈડ દયારામ મળી ગયા. તેઓ પોતાને ત્યાં ભોજનની વ્યવસ્થા પણ કરી આપતા હતા. અસલ મરાઠી ભોજનની ગોઠવણ થઈ એટલે બહુ મઝા આવી. પછીના દિવસે દયારામ અમારી સાથે આવવાના હતા. આ પર્વતમાળામાં કુલ 55 કિ.મી.નો આખો રુટ છે. અમારે સવારથી સાંજ સુધી ત્યાં ફરવાનું હતું. મોટા ભાગના રસ્તે આર્થર લેક ફેલાયેલું દેખાતું હતું. 

આર્થર લેક 

ટેબલટોપ નામની સપાટ જગ્યા 

લોઅર લેક 

સંધાન વેલી 

સંધાન વેલી, એટલે એવી ખીણ જ્યાં
આગળ જતાં સામસામી
દેખાતી બેે ખીણોનું 'સંંધાન' થાય છે. 

રતનગઢ પાસે આવેલું પૌરાણિક
અમૃતેશ્વર મંદિર   


અમૃતેશ્વર મંદિરની બહાર આવેલો વિષ્ણુકુંડ 

અમૃતેશ્વર મંદિરની કળા
ત્રીજા દિવસે અમે ટ્રેકિંગ કરવાનું નક્કી કર્યું હતું. અહીં ઘણા પર્વતો છે. અમે રતનગઢ પર જવાનું નક્કી કર્યું કેમ કે, ત્યાં ટોચ પર કિલ્લો આવેલો છે. આ ટ્રેકના રસ્તે આવેલાં દૃશ્યો.  

ભંડારદરાનો સૂર્યોદય

વીલ્સન ડેમની સમાંતરે રસ્તા પર 

 ઢોળાવવાળા રસ્તે


રતનગઢના રસ્તે


ઉંચાઈ પરથી દેખાતું દૃશ્ય

રતનગઢ પરથી દેખાતા અન્ય પહાડો 

રતનગઢના કિલ્લાનો એક ભાગ 

રતનગઢ પરથી દેખાતું દૃશ્ય 

રતનગઢ
સ્થાનિકોએ અમને કહ્યું કે ભંડારદરાની ખરી મઝા ચોમાસામાં હોય છે, જ્યારે અહીં અનેક ઝરણાં અને ધોધ વહે છે. હવે આ સ્થળે શનિ-રવિ દરમિયાન ઘણા પ્રવાસીઓ આવે છે. અમે અહીં ત્રણ દિવસ આખા ગાળ્યા અને રખડપટ્ટીની પૂરી મઝા લીધી. 

Saturday, November 5, 2016

ચાંદા-સૂરજના મહેલ: ખંડહર બચે હુએ હૈં, ઈમારત નહીં રહી


મહેમદાવાદના વતની હોવા છતાં, મહેમદાવાદમાં વરસો સુધી રહેવા છતાં અને મહેમદાવાદ છોડ્યા પછી પણ ત્યાંનો જીવંત સંપર્ક હોવા છતાં ચાંદા-સૂરજના મહેલ વિશે સાંભળેલું બહુ, કદી તેની મુલાકાત લેવાનું બન્યું નહોતું. શાળામાં ક્યારેક મારું ગામ વિશે લખતાં તેનો ઉલ્લેખ જોવાલાયક સ્થળ તરીકે કર્યો હોય એટલું જ. કદી તેને જોવા જવાનો વિચાર નહીં આવેલો. ટ્રેનમાં અમદાવાદથી આવતાં વાત્રક નદીના પુલ પર જમણી તરફ દેખાતાં ખંડેર ચાંદા-સૂરજના મહેલ હોવાની ખબર હતી. ક્યારેક કોઈ મિત્ર આગળ ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હશે, પણ ત્યાં કશું નથી જેવો જવાબ મળતાં વિચાર માંડવાળ કરી દેવાયો હશે.

**** **** ****

મહેમદાવાદની વાત કરવી હોય તો અમદાવાદના ઉલ્લેખ વિના કરી ન શકાય. મહેમદાવાદના ઈતિહાસ વિશે મહેમદાવાદ: એક અધ્યયન નામના નાનકડા પુસ્તકમાં ભાઈ મહંમદ મુસ્તાકે ટૂંકમાં માહિતી જણાવી છે. એ મુજબ ગુજરાતમાં મહંમદશાહ નામના કુલ ત્રણ રાજાઓ થઈ ગયા. તેમાં સૌથી પરાક્રમી અને જાણીતો સુલતાન એટલે મહેમૂદશાહ. તેનું મૂળ નામ ફતેહખાન હતું. ચૌદ વર્ષની વયે તે નાસીરૂદ્દીન દુનિયા વઉદ્દીન અબુલ ફતાહ મહેમૂદશાહ નામ ધારણ કરીને ઈ.સ. ૧૪૫૮માં તખ્ત પર બિરાજમાન થયો. જૂનાગઢ અને પાવાગઢ નામના બે મહત્ત્વના ગઢ જીત્યા હોવાથી તે મહેમૂદ બેગડો તરીકે ઓળખાયો.

અમદાવાદથી દક્ષિણે વાત્રક નદીને કાંઠે તેણે એક નગર વસાવવાનું નક્કી કર્યું અને પોતાના એક ઉમરાવ મલેક મહેમૂદ નિઝામને આ કામ સોંપ્યું. આમ, ઈ.સ. ૧૪૬૫માં મહેમદાવાદ નગર વસાવવામાં આવ્યું. અલબત્ત, આગળ જતાં મહેમદાવાદ પર સુલતાન શાહુદ્દીન મહેમૂદે (ત્રીજા) પણ રાજ્ય કર્યું.
મહેમદાવાદ એક જમાનામાં ગુજરાતનું પાટનગર રહી ચૂક્યું હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. એ બધી વાતોમાં ઊંડા ન ઉતરીએ તો પણ મહેમદાવાદમાં આજે ઘણી જર્જરીત ઈમારતો તેના એક જમાનાના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે, જેમાંની મોટા ભાગની જીર્ણશીર્ણ અવસ્થામાં છે.
**** **** ****
થોડા વખત અગાઉ મહેમદાવાદ રહેતા મિત્ર નિલેશ પટેલે ફેસબુક પર ચાંદા-સૂરજના મહેલની પોતે લીધેલી મુલાકાતની તસવીરો મૂકી. એ જોયા પછી તેની સાથે ફોન પર વાત થઈ એટલે તેણે જણાવ્યું કે હવે ચાંદા-સૂરજના મહેલ સુધી જવા માટેનો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.

ફરી પેલું કુતૂહલ સળવળી ઉઠ્યું અને તેની મુલાકાત લેવાના મનસૂબા ઘડાતા રહ્યા. આખરે આ દિવાળીની રજાઓમાં ત્યાં જવું એમ નક્કી કર્યું. આજે જઈશું, કાલે જઈશુંમાં એ ઠેલાતું રહ્યું. મારી ઈચ્છા ઈશાનને લઈને ત્યાં જવાની હતી. પણ એ શક્ય ન બન્યું. દરમિયાન બિનીત મોદીને મહેમદાવાદ આવવાનું બન્યું અને અમે બન્નેએ એકલા ત્યાં જવાનું નક્કી કર્યું.

રેલ્વેના ક્રોસિંગને ઓળંગ્યા પછીનો આખો વિસ્તાર મારા માટે અજાણ્યો હતો. એક બે વસાહતો પાર કરીને આખરે અમે ત્યાં પહોંચ્યા ખરા. એ સ્થળનું તસવીરી વર્ણન. 

મહંમદ મુસ્તાકના પુસ્તક અનુસાર ચાંદા-સૂરજનો મહેલ ઈ.સ.૧૫૪૬માં બનાવવામાં આવ્યો હતો. આ સિવાય બીજી માહિતી ભાગ્યે જ ઉપલબ્ધ બની શકી છે. 

વચ્ચોવચ દેખાતી આ કેડીની બન્ને બાજુએ બે મહેલોના ખંડેર છે, જેની બહારની દિવાલો જોઈ શકાય છે. ઢાળ ચડતો આ રસ્તો આગળ જતાં ઢાળ ઉતરે છે અને નદીના પટ તરફ જાય છે. 



કેડીની જમણી તરફ નજીકની દિવાલ ઓછી ખંડીત છે.


કેડીની જમણી તરફ છેક સામા છેડે તૂટેલી આ દિવાલ જોઈ શકાય છે. ક્યારેક અન્ય દિવાલો તેમજ અંદરનાં ખંડો હોવાની સાબિતી પથ્થર જેવી સામગ્રીના બનેલા ભોંયતળીયા જોવાથી મળે છે.


સામે દેખાતી આ દિવાલમાં ગોખલા, તૂટેલી કમાનો વગેરે જોઈ શકાય છે. 


ફક્ત ઈંટોની બનેલી દિવાલમાં દેખાતા ગોખલા મહેમદાવાદનાં અન્ય મુસ્લિમ સ્થાપત્યની શૈલી 
મુજબના છે. 


આ દિવાલ પૂરી થાય ત્યાંથી નીચે સીધી વાત્રક નદી નજરે પડે છે. 


થોડે દૂર રેલ્વેબ્રીજ પણ જોઈ શકાય છે, જ્યાંથી અમદાવાદ તરફ જતી-આવતી ટ્રેનોની અવરજવર રહે છે.


હવે કેડીની ડાબી તરફની દિવાલનો ભાગ.
આ દિવાલ શરૂ થાય એ અગાઉ તેની પડખે કાટખૂણે એક કેડી છે. એ કેડીના છેડે બીજી દિવાલ છે, જે મહેલના ડાબી બાજુના વિસ્તારનો અંદાજ આપે છે.


આ છે ડાબી તરફના હિસ્સાની છેવાડાની દિવાલ.


અહીં અમુક ભોંયરા પણ છે એમ જાણવા મળ્યું, પણ ઝાડીઝાંખરાને કારણે તે પૂરાઈ ગયા હોય એમ લાગે છે. મહેલની દિવાલો પૂરી થાય ત્યાં લીલા રંગની એક ધજા દેખાઈ. 


ઢાળ ઉતરતાં જણાયું કે ત્યાં એક દરગાહ છે. અહીં સેવા આપી રહેલા મહેમદાવાદના સજ્જન શ્રી રહેમતુલ્લા પઠાણે અમને દરગાહ જોવા માટે બોલાવ્યા. આ દરગાહ હઝરત ચાંદ સૈયદ બાવાની છે. તેઓ મહેમૂદ બેગડાના સલાહકાર હતા એમ કહેવાય છે.તેમની સાથે વાતોમાં જાણવા મળ્યું કે અહીં મહોરમ પછીના અઠવાડિયે મોટો ઉર્સ ભરાય છે અને દસ-પંદર હજાર મુલાકાતીઓ અહીં આવે છે. એ સમયે અહીં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, અને મહેમદાવાદનું એક સેવાભાવી જૂથ આ તમામ વ્યવસ્થા સંભાળે છે.




વાત્રક નદીને બિલકુલ કાંઠે ઉંચાણમાં બનાવેલા આ કિલ્લાનું સ્થળ આજે પણ અદ્‍ભુત લાગે છે. તે બનાવાયો એ વખતે કેવું રમણીય હશે એનો અંદાજ આજે પણ આવી શકે છે. 



વર્તમાન પ્રણાલિ મુજબ અમે જાતે આ સ્થળની મુલાકાત લીધી હોવાના પુરાવારૂપે સ્વછબિ લઈને વિદાય લીધી. 
(ડાબેથી) બીરેન કોઠારી અને બિનીત મોદી 

(શિર્ષક પંક્તિ: દુષ્યંતકુમાર) 

Monday, November 30, 2015

Daman: that was, this is.

- Ishan Kothari 

As the plan to travel Vapi was made on 24th & 25th Oct, 2015, it was almost sure to visit Daman. We were to be there for one night, so it was to be decided after reaching Vapi to visit Daman. We reached Vapi around 1 pm, leaving Vadodara around 8 am.  After having lunch and some rest, we left for Daman around 4 pm. Daman was only 5 kms from Vapi. Sanjaymama took me and my father on his bike whereas other family members decided to go by car. The ambassadors run here as local mode of transport from Vapi to Daman.

ambassadors: elite but obsolete
Before visiting Daman, my father narrated me in brief about Daman.  He told me that it was a Portuguese colony earlier.  The Portuguese ruled Daman even after the whole country got independence in 1947,  till 1961 . After the Portuguese rule, Daman was made union territory. 
As Daman is a union territory, most of the Gujarati tourists come here for drinking (alcohol), and to rest  but my purpose was totally different. We came here for pure photography.  I was eager to see the fort. We visited  the Jampore beach, too after the fort. There were various government offices in the fort premises.  Actually I felt that we’d a very less time to visit whole daman. But whatever time i got, I utilised it for photography. We had a quality time there. Here  are some of the photographs clicked by me and my father, Biren Kothari.


Entering the Portuguese Age 
somewhere in Daman 
Church is closed but God is open. 
Flag 'March' 

Like father, like son? 
Resting in peace
Maya 'Jaal' 
skeleton of  Goddess 

Sunset at the fort
At Jampore beach 
Well Balanced 
'sea' through
Soft drink and gujarati at Daman: a contrast
*** **** **** 

ઈશાને લીધેલી તસવીરો પછી હવે દમણની મેં લીધેલી થોડી તસવીરો. 
પોર્ચુગીઝ કાળમાં પ્રવેશ
પોર્ચુગીઝ શાસનની સ્મૃતિ 
ભારતમાં ભળ્યાની સ્મૃતિ 

શ્વેતાંબર અને નીલાંબર 
ઈશ્વરની બારી 
શોભે એવું સરકારી કાર્યાલય 

મુકામ પોસ્ટ દમણ 
દરિયા તરફ જતો દરવાજો 
એક હતી હોડી 
મા તે મા, દશેરા પછી એ ખાય દરિયાના વા 

(Photolines: Biren Kothari)