Showing posts with label Janmashtami. Show all posts
Showing posts with label Janmashtami. Show all posts

Friday, August 19, 2022

જન્માષ્ટમી અને સાહિત્યિક પ્રદાન

 "સર, આજે જન્માષ્ટમી છે. એ નિમિત્તે મારે આપને એક સવાલ પૂછવો છે. મે આઈ?"

"બ્રો, ધીસ ઈઝ ઑગષ્ટ. ઈઝન્ટ ઈટ?"
"ઓહ નો, સર! યસ, આઈ મીન..આપે લેખનનાં આટઆટલાં સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે, તો મને પૂછવાનું મન થાય કે..."
"હા, ભઈ! ખેડાણ જ કર્યું છે. કશું ઉગ્યું ક્યાં છે?"
"એમ નહીં, સર! વ્હૉટ આઈ વોન્ટ ટુ નો ઈઝ કે- આપે આજ સુધી કૃષ્ણ વિશે એકે કાવ્ય લખ્યું નથી, નિબંધ લખ્યો નથી, હાસ્યલેખ સુદ્ધાં લખ્યો નથી...."
"....કૃષ્ણલીલા અને મેનેજમેન્ટના સિદ્ધાંતો વિશે લખ્યું નથી, કૃષ્ણ એઝ અ માર્કેટિંગ પર્સન બાબતે નથી લખ્યું, જરાસંધનું એન્કાઉન્ટર અને શ્રીકૃષ્ણની ભૂમિકા વિષેય કશું લખ્યું નથી.."
"વાઉ સર! એક્ઝેક્ટલી! તો મારે એ જાણવું છે કે આપે ભગવાન શ્રીકૃષ્ણ વિશેના ગુજરાતી સાહિત્યમાં હજી સુધી કેમ કશું પ્રદાન નથી આપ્યું? આઈ જસ્ટ વોન્ટ ટુ નો...ઈન ફેક્ટ, ધ હોલ ગુજરાત વોન્ટ્સ ટુ નો."
"ભઈ જો. આ આપણે ભેગા મળીને જે નથી લખ્યાનું ગણાવ્યું ને, એને જ મારું પ્રદાન ગણ. સમજ્યો?"