Sunday, April 23, 2023

કવિતાબવિતા (7)

 ન લીલો, ન કેસરી કે કેવળ શ્વેત,

મેઘધનુષી રંગ ધર્મસ્થાને પ્રવેશે,
છદ્મ નહીં, પણ ખુલ્લા વેશે,
કશું હોવાનો ગર્વ નહીં,
ન હોય કશું ખતરામાં,
જાનીવાલીપીનારા કહો,
કે રાનાપીલીવાભૂજા
યા VIBGYOR,
તો અહીંથી જે પણ નીપજશે એ હશે પ્યૉર.

(સ્થળ: કેવડીયા કોલોની)
(લખ્યા તારીખ: 12-1-2020)

No comments:

Post a Comment