Saturday, April 22, 2023

કવિતાબવિતા (6)

 થયું પરીક્ષણ અણુબોમ્બનું, જ્યારે ટાળવા યુદ્ધ

પહોંંચ્યો સંદેશો સાંકેતિક કે મલકાયા છે બુદ્ધ
જ્યારે આવે અંદરથી આફત, મૂલ્યો કે નીતિ તણી,
સવાલ ત્યારે કાયમ થાય કે શું કરતા હશે બુદ્ધ
ભલે ત્યાગ્યાં પત્નીબાળક, ને છોડ્યું રાજપાટ પણ,
એમને ત્યાગે રાજપાટ કાજે એ જ ખરો હવે બુદ્ધ
વાળ એમના ગૂંચળીયા, આદર્શ છે શોપીસ માટે,
'બુદ્ધા' સાંભળી સાંભળીને હવે મલકાતા હશે બુદ્ધ
(એક ભોજન કાર્યક્રમમાં વાનગીઓના કાઉન્ટરના સુશોભનમાં મૂકાયેલા બુદ્ધનાં પૂતળાં જોઈને,
લખ્યા તારીખ: 9-12-2019)

No comments:

Post a Comment