- બીરેન કોઠારી
Sunday, November 30, 2025
'જે પરમાત્મા! એમ જોયા ની કર.'
Friday, November 28, 2025
કીડી- હાથીની સમાન મૂંઝવણ અને બીજું બધું
કાર્ટૂન જોવા-માણવામાં રસ હજી કોઈકને પડે, પણ એને ચીતરવામાં? હા, ઘણા ટી.વી.પરનાં કાર્ટૂન કેરેક્ટરને ચીતરે છે અને માને છે કે પોતેય કાર્ટૂન બનાવે છે. એટલે પહેલાં એ ગેરમાન્યતાનો ભંગ, એ પછી સાચા 'ગેગ' કાર્ટૂનની સમજ, અને છેલ્લે એ શી રીતે દોરાય એની વાત. આ બધું કલાક બે કલાકમાં ન થઈ શકે. આ કારણે કોઈ શૈક્ષણિક સંસ્થાને આમાં ભાગ્યે જ રસ પડે. અલબત્ત, કાર્ટૂન દોરતાં શીખવવાની પહેલવહેલી કાર્યશાળા શિક્ષકમિત્ર પારસ દવે (ગુતાલ) દ્વારા જ યોજાઈ હતી. પણ એ શાળાનાં બાળકો. કોલેજવાળાને આવા બધામાં રસ પડે?
નડિયાદની યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કોલેજના દૃષ્ટિવંત પ્રાચાર્ય ડૉ. હસિત મહેતાએ કહ્યું કે એમની કોલેજની વિદ્યાર્થીનીઓ માટે કાર્ટૂનની કાર્યશાળા કરવી છે. ખરેખર તો કાર્ટૂનની નહીં, પણ કેરિકેચર ચીતરતાં શીખવવાની. આવી વિશિષ્ટ માગણી પહેલવહેલી વાર આવી એટલે મારે 'ધંધે લાગવું' પડ્યું. (ડૉ. હસિત મહેતાનો એ જ આશય હતો, જે સફળ થયો) અમે ચર્ચા કરી અને તારણ કાઢ્યું કે એક વખતમાં એ શક્ય ન બને. એના માટે ઓછામાં ઓછી ત્રણ વર્કશોપ કરવી પડે. એમણે કહ્યું, "તો કરો." એટલે કેરિકેચર દોરતાં શીખવવાના ભાગરૂપે પહેલી વર્કશોપ 27 અને 28 નવેમ્બર એમ બે દિવસ દરમિયાન યોજાઈ. ચીતરવાનો શોખ હોય કે ન હોય એવી, પણ કશુંક નવું શીખવામાં રસ ધરાવતી પચીસ-ત્રીસ વિદ્યાર્થીનીઓ એમાં સામેલ થઈ.
| કાર્ટૂન વિશેની પૂર્વભૂમિકા |
| કેવાં કેવાં દૃશ્યમાધ્યમો કાર્ટૂન નથી એનું નિદર્શન |
| માનવાકૃતિ દોરવાની સરળ રીતનું નિદર્શન |
Wednesday, November 26, 2025
ત્યાં કાગડો અને અહીં કોયલ
- સઈ પરાંજપે
Monday, November 24, 2025
જીના ઈસી કા નામ હૈ
શનિવારને 22મી નવેમ્બર, 2025ની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ.દ્વારા ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તક અંગે વાર્તાલાપ હતો. આથી નક્કી એવું થયું કે સવારે જ હું ભરૂચ પહોંચી જાઉં અને એમિટી સ્કૂલમાં પહોંચું. ખરેખર તો એવું થયેલું કે ભરૂચના મારા કાર્યક્રમની જાણ માટે હું રણછોડભાઈને ફોન કરીને કશું કહું એ પહેલાં જ તેમણે 'વેલકમ ટુ ભરૂચ'નું આમંત્રણ આપી દીધું. આ શાળાના 37 વર્ષના કાર્યોનું પુસ્તકસ્વરૂપે દસ્તાવેજીકરણ કર્યું ત્યારે, એ પહેલાં અને એ પછી પણ શાળાનો સતત સંપર્ક રહ્યો છે. આથી એમિટીમાં જવાનું બહાનું શોધતો હોઉં. સવારે વડોદરાથી નીકળીને સીધા મારે એમિટી પહોંચવું એમ નક્કી થયું. વચગાળામાં એમિટીના પ્રકાશભાઈ મહેતાએ સૂચવ્યું કે મારે ત્યાંના શિક્ષકો સમક્ષ હોમાય વ્યારાવાલા વિશે વાત કરવી. પ્રિય વ્યક્તિ વિશે વાત કરવી કેમ ન ગમે? પ્રકાશભાઈએ એ પણ જણાવ્યું કે કેટલાક શિક્ષકોએ હોમાયબહેન વિશેનું મારું પુસ્તક વાંચેલું છે. ખાસ કરીને ગુજરાતી ન વાંચી શકતા શિક્ષકો એમના વિશે થોડું ગૂગલ પર વાંચી લે એવું મેં સૂચન કર્યું, જેથી એમને થોડી પૂર્વભૂમિકા રહે. મેં થોડી તૈયારી કરીને હોમાયબહેનના જીવનનો આલેખ મળી રહે એવું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું.
| (ડાબેથી) તોરલબહેન, રણછોડભાઈ, બીરેન, કામિની, સંગીતાબહેન, રીનાબહેન અને નિવેદીતાબહેન |
| હોમાયબહેન વિશે વાત |
| રજૂઆત દરમિયાન |
Sunday, November 23, 2025
ભૂપેન ખખ્ખરનાં સ્મરણોની વહેંચણી
22 નવેમ્બર, 2025ને શનિવારની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ. ખાતે બુક લવર્સ મીટની 261મી કડી અંતર્ગત ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તકનો વાર્તાલાપ યોજાઈ ગયો. મઝાની વાત એ હતી કે આ પુસ્તકનું સાવ આરંભકાળે બીજ બાર- તેર વરસ અગાઉ ભરૂચના આ જ કાર્યક્રમમાં રોપાયેલું. મારા કોલેજકાળના મિત્ર દેવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પ્રો.રાવજીભાઈ પટેલ 'મોટા' વિશેનું મારું પુસ્તક 'ક્રાંતિકારી વિચારક' અમરીશભાઈ કોન્ટ્રાક્ટર પાસે પહોંચ્યું. એ વાંચ્યા પછી તેમને થયું કે ભૂપેન ખખ્ખર વિશે આવું પુસ્તક થવું જોઈએ.
| દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો આરંભ (પોડિયમ પર અંકુર બેન્કર, નીચે બીરેન કોઠારી, દેવાંગ ઠાકોર, અમરીશ કોન્ટ્રાક્ટર, મીનલબહેન દવે) |
| વક્તાનું સ્વાગત : (ડાબેથી) મીનલબહેન દવે, બીરેન કોઠારી, દેવાંગ ઠાકોર, ઋષિ દવે |
| ભૂપેન વિશેની વિવિધ વાતો |
Friday, November 21, 2025
અન્યના કામની પ્રશંસા પીઠ પાછળ કરવી દુર્લભ છે
- સઈ પરાંજપે
Wednesday, November 19, 2025
સ્માઈલ પ્લીઈઈઈઝ....અને સાહેબની દોટ
- યેસુદાસન
ત્યારે હું મિડલ સ્કૂલમાં હતો. એક દિવસ મેં રામ ઐયર સરને પોતાની છત્રી સાથે શાળાના દરવાજાની બહાર દોડી જતા જોયા. એકાદ બે શિક્ષકો અને થોડા વિદ્યાર્થીઓ તેમની પાછળ દોડી રહ્યા હતા. છેવટે એ લોકોએ સરને આંબી લીધા અને પાછા શાળામાં લઈ આવ્યા.
મારો સહાધ્યાયી એ.સી.જોઝ મારી સાથે હતો. પહેલાં તો મને સમજાયું નહીં કે શાળાના મેદાન પર શું ચાલી રહ્યું છે. અમને કોઈકની બૂમ સંભળાઈ, 'રેડી, 'સ્માઈલ પ્લીઝ.' જેવો એ 'પ્લીઝ' બોલ્યો કે રામ ઐયર સરે ફરી વાર બહારની તરફ દોટ મૂકી. વધુ એક વાર થોડા લોકો તેમની પાછળ દોડ્યા અને તેમને પાછા લેતા આવ્યા. આ બધું શું થતું હતું એ જોવા માટે અમે કમ્પાઉન્ડ વૉલમાંથી અંદર જોયું. ખબર પડી કે ત્યાં વાર્ષિક ફોટો સેશન ચાલી રહ્યું હતું. દરેક શૈક્ષણિક વર્ષના અંતે એ યોજાતું હોય છે. ફોટોગ્રાફર દરેકને તેમની ઊંચાઈ મુજબ ઊભા રાખતો હતો. પણ જેવો તે તસવીર ખેંચવા તૈયાર થતો કે ઐયર સર દોટ મૂકતા અને આ સ્થળેથી દૂર જવાનો પ્રયત્ન કરતા. તેઓ પોતાનો ચહેરો તસવીરમાં આવવા દેવા નહોતા માગતા.
એ વરિષ્ઠ શિક્ષક માનતા હતા કે કોઈ વ્યક્તિની તસવીર ખેંચવામાં આવે તો એનું આયુષ્ય ઘટી જાય. એમના જણાવ્યા અનુસાર, જેટલી વાર પોતાની છબિ નેગેટીવ પર અંકિત થાય કે જીવનનું એક વર્ષ ઘટી જતું. તેમને ડર હતો કે વારેવારે તસવીર લેવડાવવાથી પોતે પેન્શન લેવાપાત્ર નહીં રહે. (ત્યાં સુધી જીવશે નહીંં) આજે તો રામ ઐયર અમારી વચ્ચે નથી, અને પચાસ વર્ષ કરતાંય જૂની પેલી નેગેટીવો પણ કોઈની પાસે સચવાયેલી નથી. તેમના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનાં સ્થાન શોભાવે છે, પણ ઐયર સરના ફોટોગ્રાફી અંગેના વિચારોમાં કોઈ માનતું નથી. તસવીરો લેવા અને લેવડાવવા બાબતે એ સૌ પાગલ કહી શકાય એ હદે જાય છે.
સર્જકતાની શોધ: શા માટે? શી રીતે?
ઊપક્રમ એવો હતો કે નડિયાદની આયુર્વેદિક કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સમક્ષ મારે નડિયાદના ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં છેલ્લા બાર વર્ષથી ચાલી રહેલી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ 'સ્ટડી સર્કલ' વિશે વાત કરવી. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ (સ્વ.) કુલીનચંદ્ર યાજ્ઞિકે આ પ્રવૃત્તિનો આરંભ કરેલો. દર ગુરુવારે સાંજના છ વાગ્યે કુલીનકાકા ગોવર્ધન સ્મૃતિમંદીરે આવે અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. સંખ્યા ક્યારેક બે પણ હોય તો ક્યારેક બાવીસ પચીસ પણ હોય. કુલીનકાકાનું આવવું અને વાત કરવું અચળ. છેક એમના અવસાનના થોડા સમય પહેલાં સુધી તેમણે આ ચાલુ રાખેલું. એમના પુત્ર પ્રો. નીરજ યાજ્ઞિક, પ્રો. આશિષ શાહ, ઉર્વીશ કોઠારી અને હું- પણ સંકળાયા. પ્રો. હસિત મહેતા આ આખી પ્રવૃત્તિ પાછળનું ચાલકબળ. અહીં મજા એ આવતી કે વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્ય નહીં, તેમની સાથે સંવાદ સધાતો, જેમાં સૌના મનની અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી. કોઈ પણ વિષય અંગે અહીં મુક્તતાથી વાત થઈ શકે એવું વાતાવરણ કુલીનકાકાએ ઊભું કરેલું. અમારા સૌની જવાબદારી એને જાળવી રાખવાની. બારેક વર્ષ થયા એટલે હવે અહીં આવનારા વિદ્યાર્થીઓની પણ બીજી- ત્રીજી પેઢી આવી. પણ એક સમયે અહીં સંકળાઈ ચૂકેલા વિદ્યાર્થીઓ આજે ભલે ગમે ત્યાં હોય, હજી તેઓ માનસિક રીતે અહીં સંકળાયેલા રહ્યા છે. આમ, એક બિરાદરી ઊભી થઈ છે એમ કહીએ તો ખોટું નહીં.
Monday, November 17, 2025
મૂલ્યવાન પાઠ ધરાવતા પાઠ્યપુસ્તકથી તેઓ જરાય કમ નહોતા
- યેસુદાસન
Sunday, November 16, 2025
તેં વેશ્યાગૃહ જોયું છે?
- યેસુદાસન
Wednesday, November 12, 2025
પહેલાં તો એ કહે કે તું છો કોણ?
- અવિનાશ ઓક