Saturday, July 22, 2023

લદાખનાં રેખાંકનો (1)

 લેહમાં એક ટેકરી પર આવેલા શાંતિસ્તૂપનું નિર્માણ 1991માં જાપાની બૌદ્ધ ભિખ્ખુ ગ્યોમો નાકામુરા દ્વારા, બૌદ્ધ ધર્મના 2500 વર્ષ થઈ રહ્યા હતા એ નિમિત્તે કરાવવામાં આવ્યું હતું. તેના તળિયે ભગવાન બુદ્ધના અવશેષો છે, જેનું 14મા દલાઈ લામા દ્વારા અહીં સ્થાપન કરવામાં આવ્યું હતું. બે સ્તરીય બાંધકામ ધરાવતા આ સ્તૂપના પ્રથમ મજલે આસપાસ બે હરણ ધરાવતું ધર્મચક્ર છે અને મધ્યમાં સોનેરી રંગના બુદ્ધ બિરાજમાન છે. અન્ય બાજુએ તેમના જન્મ અને મૃત્યુ (પરિનિર્વાણ)નો ઘટનાક્રમ દર્શાવાયો છે, તેમજ તેમની તપશ્ચર્યામાં ભંગ કરતા દૈત્યોને તેઓ પરાજિત કરતા બતાવાયા છે.

સાગરતટથી આશરે પોણા બાર હજાર ફીટની ઊંચાઈએ તે આવેલો છે અને તે વિશ્વશાંતિનો પ્રતીક છે.
શાંતિ સ્તૂપ, લેહ

બૌદ્ધ ચિત્રોમાં અનેક અવનવાં પ્રાણીઓ જોવા મળે છે. આ સ્તૂપની તળિયાની પેનલ પર હાથી દર્શાવાયેલા છે, જે મજબૂતીનું પ્રતીક છે, અને પોતાની પીઠ પર તે આ સમગ્ર સંકુલનો ભાર ઊંચકે છે એમ કદાચ સૂચવાયું છે. અમને આ હાથીનું આલેખન જોઈને મઝા આવી ગઈ. તેની વિશાળતા સૂચવતા થાંભલા જેવા પગને બદલે તેનું શરીર ગાય કે એવા અન્ય પ્રાણી જેવું સામાન્ય હતું. રેખાંકનમાં એ હાથી દર્શાવ્યો છે.

શાંતિ સ્તૂપના તળિયાની પેનલમાં હાથીની આકૃતિ
(સિમેન્
ટમાં કોતરાયેલી)

No comments:

Post a Comment