ચિત્રકાર ભૂપેન ખખ્ખરની જીવનકથાનો આરંભ ક્યાંથી કરવો? એટલે કે એમાં વિષયપ્રવેશ શી રીતે કરાવવો? આ વિષે વિચારવામાં ખાસ મહેનત ન પડી. ભૂપેનની જીવનકથા લખું છું એટલે એમને બહુ મોટા ચિત્રકાર ગણાવવા એ બાબત વધુ પડતી જણાય. યોગ્ય ન લાગે. એમનાં ચિત્રોની કિંમત કરોડોમાં છે એ બાયોડેટા બહુ તુચ્છ જણાય. આથી કળાવિષયક ગ્રંથોમાં એમના ઉલ્લેખ તપાસવાના શરૂ કર્યા. 'સરદાર પટેલ યુનિવર્સિટી'ની 'જ્ઞાનવિજ્ઞાન શ્રેણી'નો ગ્રંથ 'દૃશ્યકળા' સૌથી પહેલો જોયો. તેમાં ચિત્રકળાનો ઈતિહાસ ક્રમબદ્ધ રીતે આલેખાયેલો હતો. વૈશ્વિક અને પછી ભારતીય ચિત્રકળાની તેમાં વાત હતી. આધુનિક ભારતીય ચિત્રકળા વિષે પણ તેમાં લખાયું હતું, જેમાં ભૂપેન ખખ્ખર વિશે બેએક ફકરા જેટલું લખાણ હતું. 'એનસાયક્લોપિડીયા' જેવા ગ્રંથમાં, જ્યાં સમગ્ર ભારતીય ચિત્રકળાનો ઈતિહાસ સળંગસૂત્રે લખાયો હોય એમાં બે ફકરા ભૂપેન વિશે ફાળવવામાં આવ્યા હોય એ જ એમનું માહાત્મ્ય દર્શાવવા માટે પૂરતું કહી શકાય.
![]() |
ભૂપેન ખખ્ખર (તસવીર: જ્યોતિ ભટ્ટ) |
No comments:
Post a Comment