"આચાર્ય મિસ્ત્રી અંકગણિતના દાખલા તપાસતા હોય એમ વિદ્યાર્થીઓએ દોરેલાં ચિત્રોમાં સહેજસાજ સુધારાવધારા સૂચવતા. ક્યારેક વિદ્યાર્થીઓને તેમના વિદ્વત્તાપૂર્ણ વક્તવ્યનો લાભ પણ મળતો. જેમ કે, એક વાર તેમણે કહ્યું : ‘આજે ચિત્રકલામાં વાસ્તવવાદ વિશે તમને થોડી વાતો કરવી છે. એક રાણીએ યોજેલી ચિત્રસ્પર્ધામાં મેં ભાગ લીધો હતો. રાણીને બેસાડીને એમનું પોર્ટ્રેઇટ બનાવવાનું હતું. મેં જે વાસ્તવિકતા દર્શાવી એનાથી રાણીને ખુશી થઈ. એમના ચહેરા પર એક નાનો ઉઝરડો હતો, તે મેં બરાબર ચીતરેલો. કલાવિવેચકોએ મને ઇનામ તો ન આપ્યું, પણ એ તો સમજ્યા હવે. કહેવાનું એટલું કે આનું નામ વાસ્તવિકતા.’
મિસ્ત્રીસાહેબ પોતાના વિદ્યાર્થીઓનાં ચિત્રો શી રીતે તપાસતા? ‘ભૂપેન, તેં આજે શું ચીતર્યું છે? આ શું, બ્રશ દોર્યું છે? જો, આ બ્રશ તેં લાકડાનું દોર્યું છે. ચાંદીનું બ્રશ ચીતરવાના આપણને પૈસા પડતા નથી. તો લાકડાનું શા માટે દોરવું? તને બતાવું.’
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)
(તસવીર: જ્યોતિ ભટ્ટ)
No comments:
Post a Comment